આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સફાઈ કર્મચારીને નિવૃત્ત થયાનું કહી ભ્રષ્ટાચાર !: કોંગ્રેસ


SHARE













મોરબી પાલિકાના સફાઈ કર્મચારીને નિવૃત્ત થયાનું કહી ભ્રષ્ટાચાર !: કોંગ્રેસ

મોરબી પાલિકામાં સફાઈ કર્મચારીના નિવૃત્તિના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરેલ છે અને જે સફાઈ કર્મચારી વર્ષ ૨૦૩૦ માં નિવૃત્ત થનાર છે તેને નિવૃત્ત થયાનું કહીને ભાજપ સમર્થક અને સેનિટેશનના કર્મચારીએ કાંડ કર્યો છે. આ બનાવની તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

મોરબીમાં રહેતા કોંગ્રેસ આગેવાન રમેશભાઇ રબારીએ પાલિકાના વહીવટીદારને હાલમાં રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૧૮/૮/૨૩ ના રોજ સાંજના ૬ વાગ્યે પાલીકાના સફાઈ કર્મચારીના હાજરી સમયે સ્થળ સ્ટેશન રોડ પર મોરબી પાલીકાના કાયમી સફાઈ કર્મચારી હીરાબેન હરીભાઈ પોતે નિવૃત ન થયા હોવા છતાં હાજરી સમયે પાલીકાના સેનીટેશનના કર્મચારી તેમજ ભાજપ સમર્થકે તેને તમે નિવૃત થઈ ગયેલ છો, હવે પછી તમો કામ પર આવતા નહીં અને તમારા તમામ ડોકયુમેન્ટ અમોને આપો અને એક લાખ તમો અમોને આપો તેવુ કહ્યું હતું ત્યાર બાદ હીરાબેને તેમના આગેવાનો સાથે વાતચીત કરતા આગેવાનોએ પાલીકામાં જઈ તપાસ કરતા માલુમ પડેલ હીરાબેનની નિવૃતિનું વર્ષ ૨૦૩૦માં પુરૂ થાય છે. વધુમાં જણાવ્યું હતું કે, પાલીકાના સફાઈ કર્મચારી હાજરી પ્રકરણમાં બહુ મોટો ભ્રષ્ટાચાર, આર્થિક વહેવાર ઘણા લોકો દ્વારા કરવામાં આવે છે. તેમજ પગારની તારીખે પણ કામદારોના પગારમાંથી અમુક ટકા હિસ્સો લેવામાં આવે છે આવું લોકોમાં ચર્ચાઇ છે અને હીરાબેન પાસેથી માહિતી મેળવી લાંચ-રૂશ્વત તેમજ આર્થિક લેવડદેવડ, સામાજિક શોષણમાં જે જે લોકો સંડોવાયેલા છે તેની સામે યોગ્ય તપાસ કરીને પગલાં લેવામાં આવે અને પાલીકામાં ભ્રષ્ટાચાર બંધ થવા જોઈએ તેવી માંગ કરી છે






Latest News