મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સફાઈ કર્મચારીને નિવૃત્ત થયાનું કહી ભ્રષ્ટાચાર !: કોંગ્રેસ


SHARE













મોરબી પાલિકાના સફાઈ કર્મચારીને નિવૃત્ત થયાનું કહી ભ્રષ્ટાચાર !: કોંગ્રેસ

મોરબી પાલિકામાં સફાઈ કર્મચારીના નિવૃત્તિના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરેલ છે અને જે સફાઈ કર્મચારી વર્ષ ૨૦૩૦ માં નિવૃત્ત થનાર છે તેને નિવૃત્ત થયાનું કહીને ભાજપ સમર્થક અને સેનિટેશનના કર્મચારીએ કાંડ કર્યો છે. આ બનાવની તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

મોરબીમાં રહેતા કોંગ્રેસ આગેવાન રમેશભાઇ રબારીએ પાલિકાના વહીવટીદારને હાલમાં રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૧૮/૮/૨૩ ના રોજ સાંજના ૬ વાગ્યે પાલીકાના સફાઈ કર્મચારીના હાજરી સમયે સ્થળ સ્ટેશન રોડ પર મોરબી પાલીકાના કાયમી સફાઈ કર્મચારી હીરાબેન હરીભાઈ પોતે નિવૃત ન થયા હોવા છતાં હાજરી સમયે પાલીકાના સેનીટેશનના કર્મચારી તેમજ ભાજપ સમર્થકે તેને તમે નિવૃત થઈ ગયેલ છો, હવે પછી તમો કામ પર આવતા નહીં અને તમારા તમામ ડોકયુમેન્ટ અમોને આપો અને એક લાખ તમો અમોને આપો તેવુ કહ્યું હતું ત્યાર બાદ હીરાબેને તેમના આગેવાનો સાથે વાતચીત કરતા આગેવાનોએ પાલીકામાં જઈ તપાસ કરતા માલુમ પડેલ હીરાબેનની નિવૃતિનું વર્ષ ૨૦૩૦માં પુરૂ થાય છે. વધુમાં જણાવ્યું હતું કે, પાલીકાના સફાઈ કર્મચારી હાજરી પ્રકરણમાં બહુ મોટો ભ્રષ્ટાચાર, આર્થિક વહેવાર ઘણા લોકો દ્વારા કરવામાં આવે છે. તેમજ પગારની તારીખે પણ કામદારોના પગારમાંથી અમુક ટકા હિસ્સો લેવામાં આવે છે આવું લોકોમાં ચર્ચાઇ છે અને હીરાબેન પાસેથી માહિતી મેળવી લાંચ-રૂશ્વત તેમજ આર્થિક લેવડદેવડ, સામાજિક શોષણમાં જે જે લોકો સંડોવાયેલા છે તેની સામે યોગ્ય તપાસ કરીને પગલાં લેવામાં આવે અને પાલીકામાં ભ્રષ્ટાચાર બંધ થવા જોઈએ તેવી માંગ કરી છે








Latest News