મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીમાં સંતાન ન થતાં હોય પરણીતાને પતિ, સાસુ-સસરાનો ત્રાસ


SHARE









મોરબીમાં સંતાન ન થતાં હોય પરણીતાને પતિ, સાસુ-સસરાનો ત્રાસ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ લાલબાગમાં રહેતી પરણીતાને તેના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ઘરકામ બાબતે અને સંતાન ન થતા હોય તે બાબતે ગાળો આપીને મારકૂટ કરવામાં આવતી હતી અને મહિલાને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને પરણીતાએ હાલમાં તેના પતિ, સસરા અને સાસુ સામે સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગ બ્લોક નં-બી ૧/૪ માં રહેતા અને હાલ મોરબીમાં સબજેલ સામે આવેલ વાલ્મીકિવાસમાં માવતરે રહેતા યશોમતીબેન નિલેશભાઈ સોલંકી (૩૩)એ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ નિલેશભાઈ ઘનશ્યામભાઈ સોલંકી, સસરા ઘનશ્યામભાઈ નરશીભાઈ સોલંકી અને સાસુ ભારતીબેન ઘનશ્યામભાઈ સોલંકી રહે. રેલનગર શેરી નં-૬ ફાયર બ્રિગેડની આગળ અવધ પાર્ક સોસાયટી રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેને ઘરકામ બાબતે અને સંતાન ન થતા હોવાથી તે બાબતે મેણાં ટોણાં મારવામાં આવતા હતા અને અવારનવાર ગાળો આપીને મારકૂટ કરવામાં આવતી હતી અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જેથી કરીને ભોગ બનેલ પરણીતા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે પરણીતાના પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News