ટંકારા તાલુકામાં રેશનિગના દુકાનદારોના પડતર પ્રશ્નો ન ઉકેલતા રણશિંગુ ફૂક્યું
SHARE
ટંકારા તાલુકામાં રેશનિગના દુકાનદારોના પડતર પ્રશ્નો ન ઉકેલતા રણશિંગુ ફૂક્યું
ટંકારા તાલુકાના એફપીએસ એશો. દ્વારા ટંકારા મામલતદાર કચેરી ખાતે મામલતદાર કેતન સખિયાને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને આગામી ૧ સપ્ટેમ્બરથી રાશન કાર્ડ ધારકોને મળતો જથ્થો નહી ઉપાડે કે ઉતારે તેની જાણ કરવામાં આવેલ છે ત્યારે જીલ્લા સંગઠનના પ્રમુખ પંકજભાઈ સબાપરા, ટંકારા એશો. પ્રમુખ ધીરૂભાઈ ચાવડા, મહામંત્રી ભુપતસિંહ ઝાલા, નંદલાલભાઈ પરમાર, ચંદ્રકાંત પટેલ, કાનાભાઈ જીવાણી, મોહનભાઇ પારીયા, રવિન્દ્ર ભાડજા, ભરત પાટડીયા, સહિતના સંચાલકો હાજર રહ્યા હતા અને જણાવ્યું હતું કે કમીશન પેટે ૨૦ હજાર તથા એક કિલો ગ્રામ ઘટ આપવી સહિતના મુદા ઉપર રાજ્ય સંગઠનની બેઠકમા સર્વનુમતે નિર્ણય કર્યો છે કે, પડતર પ્રશ્નો ઉકેલાતા નથી જેથી આગામી ૧ સપ્ટેમ્બરે સસ્તા અનાજની દુકાનો રાશન જથ્થો ઉપાડશે નહીં અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનામાં સાતમ આઠમના તહેવારો આવતા હોય અને રસોઈ માટે વધારે પણ જથ્થો મળતો હોય જરૂરીયાતમંદ પરિવારોને હેરાન પરેશાન થવાની ભીતી સેવાઈ રહી છે જેથી સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લઈ તે જરૂરી છે