દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઇ-મેમોના કેસોનો નિકાલ કરવા યોજાશે લોક અદાલત: પછી સીધી ફોજદારી


SHARE













મોરબીમાં ઇ-મેમોના કેસોનો નિકાલ કરવા યોજાશે લોક અદાલત: પછી સીધી ફોજદારી

મોરબીમાં ઇ-મેમો આપવામાં આવે છે જો કે, ઘણા વાહન ચાલકો તેને ભરતા નથી જેથી કરીને ઇ મેમો ભરવાનો બાકી હોય તેવા કેસના નિકાલ માટે તા.૯ સપ્ટેમ્બરના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર પછી જો ઇ-મેમો બાકી હશે તો ફોજદારી પગલાં લેવાશે

મોરબીમાં ટ્રાફીક નિયમોનું પાલન થાય તે માટે સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફીક નિયમોનો ભંગ કરતા લોકોને ઇ-મેમો આપવામાં આવે છે જો કે, ટ્રાફીક નિયમ ભંગ બદલ આપવામાં આવેલ ઇ મેમો ઘણા વાહન ચાલકો ભરતા નથી જેથી આવા વાહનચાલકો વિરૂધ્ધ જિલ્લા કાનુની સેવા સતામંડળ મોરબી ધ્વારા કોર્ટ નોટીસો કાઢી મોકલી આપવામાં આવેલ છે અને ઇ-મેમોનાં કેસ આગામી તા.૯ સપ્ટેમ્બરના રોજ યોજાનાર લોકઅદાલતમાં મુકવામાં આવેલ છે. જે સંદર્ભે લીગલ કોર્ટ મોરબી દ્વારા નોટીસોની બજવણી કરવામા આવેલ છે. અને લોકઅદાલત બાદ પણ જો કોઇ મેમો ભરશે નહી તો તેઓ વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે. જેથી ઇ-મેમો તા.૯ પહેલા ટ્રાફીક શાખા- રૂમ નં-૧૧, પોલીસ અધિક્ષકની કચેરી, જીલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી-૨ ખાતે તેમજ શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં, શનાળા રોડ, મોરબી-૧ ખાતે ભરપાઇ કરવા જણાવ્યૂ છે






Latest News