મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર મોરબીમાં એક કે બે નહીં 6 ખાનગી મેળા: મહાપાલિકાએ લોકમેળાનું આયોજન કેમ ના કર્યું તે પ્રશ્ન ? મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ સપ્ટેમ્બરે યોજાશે મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ટુ, ફોર-વ્હિલર તથા ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર માટે કરાશે ઓનલાઇન હરાજી મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન: 20 સ્થળે કરશે મટકી ફોડ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે જાગૃતિબેન ગઢિયાની વરણી મોરબીમાં સર્પનો સંકેત આપતું મોરપીચ્છ જોવા મળ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં ઇ-મેમોના કેસોનો નિકાલ કરવા યોજાશે લોક અદાલત: પછી સીધી ફોજદારી


SHARE





મોરબીમાં ઇ-મેમોના કેસોનો નિકાલ કરવા યોજાશે લોક અદાલત: પછી સીધી ફોજદારી

મોરબીમાં ઇ-મેમો આપવામાં આવે છે જો કે, ઘણા વાહન ચાલકો તેને ભરતા નથી જેથી કરીને ઇ મેમો ભરવાનો બાકી હોય તેવા કેસના નિકાલ માટે તા.૯ સપ્ટેમ્બરના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર પછી જો ઇ-મેમો બાકી હશે તો ફોજદારી પગલાં લેવાશે

મોરબીમાં ટ્રાફીક નિયમોનું પાલન થાય તે માટે સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફીક નિયમોનો ભંગ કરતા લોકોને ઇ-મેમો આપવામાં આવે છે જો કે, ટ્રાફીક નિયમ ભંગ બદલ આપવામાં આવેલ ઇ મેમો ઘણા વાહન ચાલકો ભરતા નથી જેથી આવા વાહનચાલકો વિરૂધ્ધ જિલ્લા કાનુની સેવા સતામંડળ મોરબી ધ્વારા કોર્ટ નોટીસો કાઢી મોકલી આપવામાં આવેલ છે અને ઇ-મેમોનાં કેસ આગામી તા.૯ સપ્ટેમ્બરના રોજ યોજાનાર લોકઅદાલતમાં મુકવામાં આવેલ છે. જે સંદર્ભે લીગલ કોર્ટ મોરબી દ્વારા નોટીસોની બજવણી કરવામા આવેલ છે. અને લોકઅદાલત બાદ પણ જો કોઇ મેમો ભરશે નહી તો તેઓ વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે. જેથી ઇ-મેમો તા.૯ પહેલા ટ્રાફીક શાખા- રૂમ નં-૧૧, પોલીસ અધિક્ષકની કચેરી, જીલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી-૨ ખાતે તેમજ શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં, શનાળા રોડ, મોરબી-૧ ખાતે ભરપાઇ કરવા જણાવ્યૂ છે




Latest News