ચંદ્રયાન- ૩ ના સફળ લેન્ડિંગ બાદ મોરબી શહેર અને જિલ્લા ભાજપે કરી ઉજવણી
મોરબીમાં ઇ-મેમોના કેસોનો નિકાલ કરવા યોજાશે લોક અદાલત: પછી સીધી ફોજદારી
SHARE
મોરબીમાં ઇ-મેમોના કેસોનો નિકાલ કરવા યોજાશે લોક અદાલત: પછી સીધી ફોજદારી
મોરબીમાં ઇ-મેમો આપવામાં આવે છે જો કે, ઘણા વાહન ચાલકો તેને ભરતા નથી જેથી કરીને ઇ મેમો ભરવાનો બાકી હોય તેવા કેસના નિકાલ માટે તા.૯ સપ્ટેમ્બરના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર પછી જો ઇ-મેમો બાકી હશે તો ફોજદારી પગલાં લેવાશે
મોરબીમાં ટ્રાફીક નિયમોનું પાલન થાય તે માટે સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફીક નિયમોનો ભંગ કરતા લોકોને ઇ-મેમો આપવામાં આવે છે જો કે, ટ્રાફીક નિયમ ભંગ બદલ આપવામાં આવેલ ઇ મેમો ઘણા વાહન ચાલકો ભરતા નથી જેથી આવા વાહનચાલકો વિરૂધ્ધ જિલ્લા કાનુની સેવા સતામંડળ મોરબી ધ્વારા કોર્ટ નોટીસો કાઢી મોકલી આપવામાં આવેલ છે અને ઇ-મેમોનાં કેસ આગામી તા.૯ સપ્ટેમ્બરના રોજ યોજાનાર લોકઅદાલતમાં મુકવામાં આવેલ છે. જે સંદર્ભે લીગલ કોર્ટ મોરબી દ્વારા નોટીસોની બજવણી કરવામા આવેલ છે. અને લોકઅદાલત બાદ પણ જો કોઇ મેમો ભરશે નહી તો તેઓ વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે. જેથી ઇ-મેમો તા.૯ પહેલા ટ્રાફીક શાખા- રૂમ નં-૧૧, પોલીસ અધિક્ષકની કચેરી, જીલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી-૨ ખાતે તેમજ શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં, શનાળા રોડ, મોરબી-૧ ખાતે ભરપાઇ કરવા જણાવ્યૂ છે