ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠારીયા નજીક વાડીના સેઢા પાસે માલ ઢોરને દૂર લઈ જવાનું કહેતા યુવાનને માર માર્યો


SHARE







વાંકાનેરના કોઠારીયા નજીક વાડીના સેઢા પાસે માલ ઢોરને દૂર લઈ જવાનું કહેતા યુવાનને માર માર્યો

વાંકાનેરના કોઠારીયા ગામથી તીથવા તરફ જવાના રસ્તા ઉપર ખારા વિસ્તાર તરીકે ઓળખાતી યુવાનની વાડીના સેઢા પાસે માલ ઢોર લઈને આવેલા શખ્સને તેના માલ ઢોર દૂર લઈ જવા માટે કહ્યું હતું જે બાબતે ઉશ્કેરાઈ ગયેલા શખ્સે ફરિયાદીને ડાબા પગે ઢીંચણના ભાગે લાકડાના ધોકાના બે ઘા માર્યા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં તેને એક શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા રૂક્મુદિનભાઈ જીવાભાઈ શેરસીયા (૩૮) એ હાલમાં કોઠારીયા ગામે રહેતા જયરાજસિંહ કરણસિંહ ઝાલા જાતે દરબારની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, કોઠારીયા ગામથી તીથવા તરફ જવાના રસ્તા ઉપર ખારા વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં તેની વાડી આવેલ છે અને તે વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે આરોપી તેના માલ ઢોર લઈને ફરિયાદીની વાડીના સેઢા પાસે આવ્યા હતા ત્યારે તેને વાડીના શેઢા પાસેથી દૂર લઈ જવા માટે થઈને કહ્યું હતું જે આરોપીને સારું નહીં લાગતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે બોલાચાલી કરીને ફરિયાદી યુવાન સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેના હાથમાં રહેલ ધોકા પડે તેને ફરિયાદીને ડાબા પગના ઢીંચણ ઉપર બે ઘા મારીને નળામાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ વી.ડી. ખાચર ચલાવી રહ્યા છે






Latest News