મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના રાજસ્થળી અને ચરાડવા ગામે ઝેરી દવા પી ગયેલા યુવક-યુવતીના મોત


SHARE













મોરબીના રાજસ્થળી અને ચરાડવા ગામે ઝેરી દવા પી ગયેલા યુવક-યુવતીના મોત

મોરબી જિલ્લાના બે જુદાજુદા તાલુકાઓમાં ઝેરી દવા પી જવાના બનાવો બન્યા હતા જે બનાવોમાં સારવારમાં ખસેડાયેલા યુવક તથા યુવતીના સારવાર દરમિયાન મોત નિપજયા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.હળવદના ચરાડવા ગામે વાડી વિસ્તારમાં દવા પી ગયેલ સગીર વયની યુવતીનું તેમજ વાકાનેર તાલુકાના રાજસ્થળી ગામે દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજયા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવામાં મળેલ છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની વર્ષાબેન થાવરભાઈ નાયક (ઉમર ૧૫) નામની સગીર વયની યુવતી કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને ગત તા.૯-૯ ના રોજ ચરાડવા પીએચસી ખાતે સારવારમાં ખસેડાઈ હતી અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને અહીં સારવારમાં રહેલ વર્ષાબેન નાયક નામની સગીર વયની યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.જેથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેથી બનાવ સંદર્ભે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ બનાવ ચરાડવા પંથકનો હોય હળવદ પોલીસમાં આ બનાવ અંગે આગળની તપાસ અર્થે જાણ કરવામાં આવેલ છે.

જ્યારે બીજો બનાવ વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામે બન્યો હતો.જેમાં અજીતભાઈ મનસુખભાઈ ડાભી નામનો ૧૯ વર્ષનો યુવાન ગત તા.૭-૯ ના રોજ બપોરના ૨:૩૦ વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને તેનું તા.૭-૯ ના રોજ રાત્રિના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોરબી ખાતે મોત નીપજ્યું હતું.મંગલમ હોસ્પિટલ ખાતેથી આ બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હોય મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આ બાબતે પ્રાથમિક તપાસના કાગળો તૈયાર કરીને બનાવ વાંકાનેર તાલુકા પંથકનો હોય વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને આ બાબતે આગળની તપાસ માટે જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ તુલસીપાર્ક સોસાયટીમાં રહેતા વનરાજભાઈ દેસુરભાઈ સોલંકી નામના ૩૭ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.શિવમ હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગરે તપાસ હાથ ધરી હતી.જેમાં ખુલ્યુ હતુ કે વનરાજભાઈ સોલંકી તેઓનું બાઈક લઈને જતા હતા ત્યારે મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ બેલા (રંગપર) ગામ નજીકના ફિટ્રા સીરામીક પાસે તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જેમાં તેઓને ઈજા તથા સારવારમાં ખસેડાયા હતા.






Latest News