મોરબીની શિવ પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા: ૩૫,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે
મોરબીના સોમનાથ મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયુ માટે મહા આરતી યોજાઇ
SHARE
મોરબીના સોમનાથ મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયુ માટે મહા આરતી યોજાઇ
ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મદિવસ હોય ઠેર ઠેર જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સ્થાનિક આગેવાન અને ભાજપના આગ્રણી મહેશભાઈ સિંધવ અને તેની ટીમ દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ, અજયભાઇ કોટક, માવજીભાઇ કંઝારીયા, રોહિતભાઇ કંઝારીયા, ભાનુબેન નગવાડીયા, સીમાબેન સોલંકી, નરેન્દ્રભાઇ પોપટ સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ત્યાં સોમનાથ મહાદેવની આરતી કરીને નરેન્દ્ર મોદીના દિર્ધાયુ માટે થઈને ભગવાનને પ્રાર્થના કરી હતી.