મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ટુ અને ફોર-વ્હિલર તથા ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે તેરા તુજ કો અર્પણ: ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી ચોરી કરવામાં આવેલ સોના-ચાંદીની વસ્તુઓ અને રોકડ સહિત 26.04 લાખનો મુદામાલ મૂળ માલિકને સુપ્રત કર્યો મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે તૂટી પડો: રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની એસપી સહિતના અધિકારીઓને સ્પષ્ટ સૂચના અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતા ગુરુવારે બૌદ્ધિક કાર્યશાળા મોરબીમાં  મહિલા દિવસ નિમિતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકેલ કેમ્પ યોજાયો મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-ફાયરની ટીમ દોડી આવી મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા ગામે ગણેશ વિસર્જન  સમયે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE













વાંકાનેરના રાતાવિરડા ગામે ગણેશ વિસર્જન  સમયે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે આવેલ કારખાનામાં ગણપતિ વિસર્જન માટે ગામ પાસે આવેલ તળાવ ખાતે લોકો આવ્યા હતા ત્યારે ગણેશ વિસર્જન સમયે એક યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેતા જગદીશભાઈ ભુરાભાઈ જોશી (૨૨) નામનો યુવાન રાતાવિરડા ગામે આવેલ તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજતા તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ જસપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રાતાવીરડા પાસે આવેલ લાટો સીરામીકમાં ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને તે ગણેશ વિસર્જન સમયે ગામના તળાવમાં ડૂબી જવાથી જગદીશભાઈ જોશીનું મોત નિપજ્યું છે આ અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એસિડ પી ગઈ

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે રેસા સીરામીકમાં અંજલી અરવિંદભાઈ પરમાર (૧૩) નામની બાળકી કોઈ કારણોસર એસિડ ગઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે




Latest News