મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ટુ અને ફોર-વ્હિલર તથા ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે તેરા તુજ કો અર્પણ: ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી ચોરી કરવામાં આવેલ સોના-ચાંદીની વસ્તુઓ અને રોકડ સહિત 26.04 લાખનો મુદામાલ મૂળ માલિકને સુપ્રત કર્યો મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે તૂટી પડો: રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની એસપી સહિતના અધિકારીઓને સ્પષ્ટ સૂચના અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતા ગુરુવારે બૌદ્ધિક કાર્યશાળા મોરબીમાં  મહિલા દિવસ નિમિતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકેલ કેમ્પ યોજાયો મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-ફાયરની ટીમ દોડી આવી મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપરમાં ઉછીના રૂપિયા આપવાની ના કહેતા યુવાનને માર માર્યો


SHARE













વાંકાનેરના હસનપરમાં ઉછીના રૂપિયા આપવાની ના કહેતા યુવાનને માર માર્યો

વાકાનેર નજીક હસનપર શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા યુવાન પાસે ઉછીના પૈસા માંગતા તેણે પૈસા આપવાની ના પાડી હતી જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ તેના ઘર પાસે જઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને યુવાનને જમણા હાથની આંગળીમાં ફ્રેકચર જેવી ઈજા થઈ હોવાથી સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ હસનપર શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા સંજયભાઈ કાંતિભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (૩૬)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે કરમશીભાઈ રવજીભાઈ વાઘેલા જાતે દેવીપુજક રહે. શક્તિપરા વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના ઘર પાસે હતા ત્યારે આરોપીએ તેની પાસે ઉછીના પૈસા માંગતા પૈસા આપવાની તેઓએ ના પાડી હતી જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ધોકા વડે માર માર્યો હતો ત્યારે ફરિયાદી યુવાનને જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મારામારી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગર ખાતે રહેતા દીપ ધર્મેન્દ્ર રાવલ (૧૨) નામના તરુણને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે




Latest News