માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે ભોજન કરતા સમયે હાર્ટ એટેકનો હુમલો આવતા વૃદ્ધનું મોત


SHARE













મોરબીમાં ઘરે ભોજન કરતા સમયે હાર્ટ એટેકનો હુમલો આવતા વૃદ્ધનું મોત

મોરબીના વાવડી ગામ પાસે આવેલ સ્વામિનારાયણ પાર્ક શક્તિધામની પાછળ રહેતા વૃદ્ધ પોતાના ઘરે જમતા હતા ત્યારે ભોજન કરતા સમયે તેને હાર્ટ એટેકનો હુમલો આવી ગયો હતો જેથી તે બેભાન થઈ જતાં તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને મૃતકના દીકરા દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ પાર્ક શક્તિધામની પાછળના ભાગમાં રહેતા હરિભાઈ રામાભાઇ ચાવડા જાતે અનુ. જાતિ (૯૦) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા અને ત્યાં જમતા હતા ત્યારે ભોજન કરતા સમયે તેને હાર્ટ અટેકનો હુમલો આવતા તે બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેનો દીકરો નથુભાઈ હરિભાઈ ચાવડા (૫૧) તાત્કાલિક તેને ગાડીમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ ત્પાસીને મૃત જાહેર કરતા આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી

તરૂણ દવા પી ગયો
મોરબીના રવાપર ગામ પાસે આવેલ હરિ દર્શન એપાર્ટમેન્ટ ખાતે રહેતા હિરેન દિલીપભાઈ વિશ્વકર્મા (૧૫) નામનો તરુણ કોઈ કારણોસર દવા પી જતા તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જેથી કરીને તરુણને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને સિવિલ હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળની વધુ તપાસ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News