મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ટુ અને ફોર-વ્હિલર તથા ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે તેરા તુજ કો અર્પણ: ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી ચોરી કરવામાં આવેલ સોના-ચાંદીની વસ્તુઓ અને રોકડ સહિત 26.04 લાખનો મુદામાલ મૂળ માલિકને સુપ્રત કર્યો મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે તૂટી પડો: રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની એસપી સહિતના અધિકારીઓને સ્પષ્ટ સૂચના અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતા ગુરુવારે બૌદ્ધિક કાર્યશાળા મોરબીમાં  મહિલા દિવસ નિમિતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકેલ કેમ્પ યોજાયો મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-ફાયરની ટીમ દોડી આવી મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઉછીના રૂપિયા માટે થયેલ મારા મારીમાં વળતી ફરિયાદ નોંધાઈ


SHARE













વાંકાનેરમાં ઉછીના રૂપિયા માટે થયેલ મારા મારીમાં વળતી ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના હસનપરમાં ઉછીના પૈસા મામલે થયેલા ઝઘડા બાદ નોંધાયેલ ફરિયાદ પછી વળતી ફરિયાદ નોંધાઈ છે જેથી વાંકાનેર પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા કરમશીભાઇ રવજીભાઇ વાઘેલાએ હાલમાં સંજયભાઇ કાંતિભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઉછીના પૈસા માંગતા આરોપીએ ઉછીના પૈસા ન આપીને ફરિયાદી સંજયભાઈના ઘર પાસેથી નીકળતા તેને ગાળો આપી હતી ને ત્યાર બાદ બોલાચાલી કરી હતી અને પાવડાના હાથા વડે માથામાં માર માર્યો હતી જેથી સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટીમાં રહેતા રવિ પ્રસાદભાઈ ભુસાર નામના ૨૫ વર્ષના યુવાનને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ચોકડી નજીક વાહન અકસ્માતમાં ઇજા થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને બનાવને પગલે જાણ થવાથી તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર એમ.જે.કહાંગરા દ્વારા બનાવ સંદર્ભે તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં
મોરબીના જેતપર ગામે મહેશભાઈની વાડીએ મજૂરી કામ કરતા અને ત્યાં જ રહેતા અનિલ રમેશભાઈ પસાયા નામનો ૨૨ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર વાડી વિસ્તારમાં ઝેરી દવા પી ગયો હતો.જેથી તેને જેતપર પીએચસી ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે બાબુભાઈ તેને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા.બનાવની જાણ થવાથી તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી હતી.




Latest News