મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

રાતે મોબાઈલ જોતી પત્નીને પતિએ સૂઈ જવાનું કહેતા પત્નીએ ના કરવાનું કર્યું !


SHARE















રાતે મોબાઈલ જોતી પત્નીને પતિએ સૂઈ જવાનું કહેતા પત્નીએ ના કરવાનું કર્યું !

હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે આવેલ વાકિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્ની રાત્રિના સમયે મોબાઇલ જોતી હોય તેને મોબાઈલ મૂકીને સૂઈ જવા માટે તેના પતિએ કહ્યું હતું ત્યારે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને લાગી આવતા મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવેલ છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ભરૂચ જિલ્લાના નેત્રમના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે આવેલ વાકિયા ગામે પ્રવીણભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વિનોદભાઈ વસાવાના પત્ની રેખાબેન (૨૦)એ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે રેખાબેનના પતિ વિનોદભાઈ વસાવા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે રાત્રિના સમયે તેની પત્ની મોબાઈલ ફોન જોતી હોય જેથી તેને મોબાઈલ મૂકીને સૂઈ જવા માટે થઈને કહ્યું હતું ત્યારે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારે તેઓએ તેની પત્નીને એક લાફો માર્યો હતો જેથી રેખાબેનને લાગી આવતા તેણે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે લઈ ગયા છે જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

માર માર્યો

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે વાડી વિસ્તારમાં રાકેશ મનજી બાંભણિયા (૨૨) નામના યુવાનને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી કરીને રાકેશ બાંભણિયાને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે






Latest News