મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને ટંકારા બસ સ્ટેશનની સફાઈ કરાઇ: ગામોગામ સ્વચ્છતા અભિયાન


SHARE













મોરબી, વાંકાનેર અને ટંકારા બસ સ્ટેશનની સફાઈ કરાઇ: ગામોગામ સ્વચ્છતા અભિયાન

'સ્વચ્છતા એજ સેવા' અભિયાન અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે મોરબીના નવા બસ સ્ટેન્ડ, વાંકાનેર બસ સ્ટેશન , ટંકારા બસ સ્ટેશન અને વાંકાનેર રેલ્વે સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી હતી આ ઉપરાંત જુદાજુદા ગામોમાં પણ જળ સ્ત્રોતની પાસે સફાઈ કરવામાં આવી હતી  અત્રે ઉલેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં આગામી ૮ અઠવાડિયા સુધી સ્વચ્છતા એજ સેવાઅંતર્ગત રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારોમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી

'સ્વચ્છતા એજ સેવા' અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ વિવિધ આયોજન થકી વધુ ને વધુ જન ભાગીદારીથી આ મહા અભિયાનમાં લોકોને જોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબીના નવા બસ સ્ટેન્ડની સાફ સફાઈ હાથ ધરી બસ સ્ટેન્ડને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું આવી જ રીતે ટંકારા ગામે બસ સ્ટેન્ડની સાફ કરી બસ સ્ટેન્ડને ચોખ્ખું ચણાક બનાવવામાં આવ્યું હતું. ત્યારે બસ ડેપોના કર્મચારીઓ અને સ્થાનિક કર્મચારીઓ તેમાં જોડાયા હતા

તો મોરબીમાં લાલપર ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજુબાજુના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી હતી. અને વાંકાનેરના રાજાવડલા ગામે પાણીના ટાંકા સહિતની સાફ સફાઈ કરાઈ હતી અને 'સ્વચ્છતા એજ સેવા' અભિયાનને સાર્થક કર્યું હતું તથા ટંકારા તાલુકાના નાના રામપર ગામ ખાતે પાણીના સ્ત્રોત અને આસપાસ વિસ્તારની સફાઈ કરાઈ કરવામાં આવી હતી ત્યારે પાણીનો ટાંકો અને અવાડોની આજુબાજુમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી.

વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેર રેલવે જંકશન અને વાંકાનેર બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે પાલિકાના સફાઈ કામદારો, વાંકાનેર પાલિકાના સંબંધીત શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશનનો સ્ટાફ અને શહેરીજનોએ ઉત્સાહભેર જોડાયા હતા અને સઘન સફાઈ ઝુંબેશ થકી સમગ્ર શહેરને સ્વચ્છ બનાવવા પોતપોતાનું બહુમુલ્ય યોગદાન આપ્યું હતું.






Latest News