મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ કોંગ્રેસની માંગ


SHARE







વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ કોંગ્રેસની માંગ

વાંકાનેર તાલુકાના ચોમાસામાં સતત ૨૮ દિવસ સુધી વરસાદ નથી થયો જેથી કરીને ખેડૂતોને હેરાન થવું પડ્યું છે અને કપાસના પાકમાં પણ નુકશાની આવેલ છે તો પણ ખેડૂતોને સરકારી સહાયનો લાભ મળેલ નથી જેથી કરીને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે પત્રકાર પરિષદ યોજીને ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો સરકારી સહાય મળે તેના માટે કોંગ્રેસનાં આગેવાનોએ માંગ કરી છે

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડીરેક્ટર શકીલ પીરઝાદા, પ્રદેશ કોંગ્રેસના આગેવાન હરદેવસિંહ ઝાલા, યાર્ડના પ્રમુખ ગુલામભાઈ પરાસરા સહિતના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી ત્યારે શકીલ પીરઝાદાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મુખ્યમંત્રી કિશાન સહાય યોજના માટે જે નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેમાં ચોમાસામાં ૨૮ દિવસ સુધી સતત વરસાદ ન થયો હોય તો તે યોજનાનો ખેડૂતોને લાભ મળે છે જો કે, ચાલુ વર્ષે ચોસરમાં ૨૮ દિવસમાં વરસાદ પડ્યો ન હતી જે મુખ્યમંત્રી કિશાન સહાય યોજનાની શરત પૂર્ણ કરે છે તો પણ ખેડૂતોને સહાય આપવામાં આવી નથી અને વાંકાનેર યાર્ડ દ્વારા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે જવાબ મળ્યો હતો કે, વાંકાનેર તાલુકો મુખ્યમંત્રી કિશાન સહાય યોજનામાં આવે છે તો વરસાદ ન પડવાના કારણે ખેડૂતોને જે નુકશાન થયું છે તેમાં ૩૦ થી ૬૦ ટકા સુધી નુકશાની છે તો સરકાર મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અંતર્ગત અથવા તો કોઈ પણ યોજના દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે વધુમાં પ્રદેશ કોંગેસના અને સહકારી ક્ષેત્રના આગેવાન હરદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કિશાન સાધન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં ખેડૂતોને ખેતઓજાર લેવા માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે જેના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે જો કે, ખેડૂતોને એક જ દિવસનો સમય આપવામાં આવે છે જેના લીધે ઘણા ખેડૂતો અરજી પણ કરી શકતા નથી જેથી કરીને ખેડૂતોને હેરાન ન થવું પડે તે માટે ઓછામાં ઓછા ૧૦ દિવસનો સમય આપવામાં આવે તેવી ખેડૂતો વતી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે 






Latest News