મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની શ્રી પાટીદાર નવરાત્રિની ટીમે બે સેવાકીય સંસ્થાને કરી ૧૦.૬૨ લાખની આર્થિક સહાય


SHARE













મોરબીની શ્રી પાટીદાર નવરાત્રિની ટીમે બે સેવાકીય સંસ્થાને કરી ૧૦.૬૨ લાખની આર્થિક સહાય

ગુજરાત અને ગરબા એ બન્ને એક સિક્કાની બે બાજુ છે તેમ કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, નવરાત્રી નજીક આવે એટલે ગરબા યાદ આવે અને ગરબા યાદ આવે એટલે અચૂક ગુજરાત પણ યાદ આવે જ છે છેલ્લા નવ દિવસમાં નવરાત્રી દરમ્યાન ખેલૈયાઑ પરિવારજનો અને મિત્રોની સાથે મનભરીને ગરબે ઘૂમયા છે ત્યારે મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડે શ્રી પાટીદાર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજકોની ટીમે પહેલાથી જ જાહેર કર્યું હતું કે, આ નવરાત્રિ કમાણી માટે નહિ પરંતુ સેવાના ભાવ સાથે કરવામાં આવી રહી છે ત્યારે છેલ્લા નવ દિવસમાં જે ખેલૈયાઑ રમવા માટે આવ્યા તેમજ સ્પોન્સરો તરફથી જે પણ આર્થિક સહયોગ મળ્યો તેના થકી જે આવક થઈ હતી તેમાંથી ૮.૫૧ લાખ રૂપિયા કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબીને આપવામાં આવેલ છે અને ૨.૧૧ લાખ રૂપિયા રવાપર ગામ પાસે આવેલ માધવ ગૌશાળામાં આપવામાં આવેલ છે આમ શ્રી પાટીદાર નવરાત્રિ મહોત્સવની ટીમે જુદીજુદી બે સેવકીય સંસ્થાઓને ૧૦.૬૨ લાખની આર્થિક મદદ કરેલ છે અને આ આયોજકો દ્વારા ગરબે રમવા માટે આવેલા ખેલૈયાઓ માટે જે વ્યવસ્થા કરી હતી ટેન ખેલૈયાઓ દ્વારા ભારોભાર પ્રસંશા કરવામાં આવી છે અને સૌથી મોટી વાતે છે કે, નવરાત્રીના નવ દિવસમાં કોઈ પણ પ્રકારનો વિવાદ શ્રી પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં થયેલ નથી






Latest News