આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના આરોગ્યનગરમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE













વાંકાનેરના આરોગ્યનગરમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેરના આરોગ્યનગરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં રહેતો યુવાન તેના ઘર પાસે હતો ત્યારે તેનું હાર્ટ એટેકથી મોત નીપજયું હતુ જેથી કરીને તેના બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના આરોગ્યનગરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં રહેતો મેહુલભાઈ ધીરુભાઈ વિસાણીયા (૩૭) નામનો યુવાન પોતે પોતાના ઘર પાસે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં હતો ત્યારે તે મરણ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના ડેબબોડીને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની સરકારી હોસ્પિટલના ડોક્ટર મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના વાલજીભાઈ પરમાર કરી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, ડોક્ટરના કહેવા મુજબ હાર્ટ એટેકથી યુવાનનું મોત નીપજયું છે તેવું કહ્યું છે જો કે, વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે






Latest News