આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા ગામે પત્નીએ દારૂ પીવાની ના પાડતાં યુવાને વાડીમાં ઝેરી દવા પી લીધી !


SHARE













વાંકાનેરના ઢુવા ગામે પત્નીએ દારૂ પીવાની ના પાડતાં યુવાને વાડીમાં ઝેરી દવા પી લીધી !

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે વાડી વિસ્તારમાં રહેતા યુવાનને નશો કરવાની કુટેવ હોય તેની પત્નીએ દારૂ પીવાની ના પાડી હતી જેથી તે યુવાનને લાગી આવ્યું હતું અને તે યુવાને ઝેરી દવા પી લેતા તેને પ્રથમ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે હાલમાં આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે કાનાની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા દિલીપભાઈ બચુભાઈ બામણીયા (૩૫)એ વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થઈ હતી માટે તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને યુવાનની પત્ની લીલાબેન પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે તેના પતિને નશો કરવાની કુટેવ હોય તેણે દારૂ પીવાની ના પાડી હતી જેથી કરીને લાગી આવતા તેને પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવે છે.

અકસ્માતમાં ઇજા
માળીયા મીયાણા તાલુકામાં આવેલ નવલખી પોર્ટ અંદર રામેશ્વર મહાદેવ મંદિર પાસે અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં નવી નવલખી ખાતે રહેતાને ડ્રાઇવિંગનું કામ કરતા હાસમભાઈ મમદભાઈ પઠાણ (૪૫)ને ઈજા થઈ હતી જેથી તેને હાલમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે ટ્રક નંબર જીજે ૫ બીવી ૧૧૭૯ ના ચાલકે રામેશ્વર મહાદેવ મંદિર પાસે આગળ જતા ટ્રકનો ઓવરટેક કરવા જતા સમયે ત્યાં રોડ સાઈડમાં ઉભેલ ફરિયાદીના પાણીના ટાંકા નંબર જીજે ૧૨ એટી ૬૩૫૦ સાથે વાહન અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદીને જમણા પગના ઢીંચણ, કમર અને જમણા હાથની કોણીમાં ઈજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે.






Latest News