અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતા ગુરુવારે બૌદ્ધિક કાર્યશાળા મોરબીમાં  મહિલા દિવસ નિમિતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકેલ કેમ્પ યોજાયો મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-ફાયરની ટીમ દોડી આવી મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત મોરબીમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડેલા યુવાનનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત ​​​​​​​મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડે પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના લિંબાળા ગામે જમીન માપણી સમયે બોલાચાલી બાદ મારામારી: સામસામી ફરિયાદ


SHARE













વાંકાનેરના લિંબાળા ગામે જમીન માપણી સમયે બોલાચાલી બાદ મારામારી: સામસામી ફરિયાદ

વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામે રહેતા વૃદ્ધે જમીન માપણી કરવા માટે થઈને કલેકટર કચેરી ખાતે અરજી કરી હતી અને તે અરજીના આધારે જમીનની માપણી કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો અને જે બનાવ સંદર્ભે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લિંબાળા ગામે રહેતા ઉસ્માનભાઈ ફતેહભાઈ કડીવાર જાતે મોમીન (૫૯)એ હાલમાં હાજીભાઈ સાજીભાઈ ચારોલીયા, હનીફભાઈ ફતેહભાઈ ચારોલિયા, હબીબભાઈ ફતેહભાઈ ચારોલીયા અને ગુલાભાઈ ઉસ્માનભાઈ રહે. બધા લિંબાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેણે આરોપીઓની જમીનની માપણી માટે કલેક્ટર ઓફિસમાં અરજી કરેલ હતી જે આરોપીઓને સારું નહીં લાગતા તેનો ખાર રાખીને હનીફભાઈ અને હબીબભાઈએ લાકડી અને પાઇપ વડે માર માર્યો હતો તેમજ હાજીભાઈ અને ગુલાભાઇએ તેને ટીકા પાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ઉસ્માનભાઈ કડીવારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામાપક્ષેથી લિંબાળા ગામે રહેતા ગુલામમુસ્તુફાભાઈ ઉસ્માનભાઈ ચારોલીયા (૪૫)એ હાલમાં રોશનબેન ઉસ્માનભાઈ કડીવાર, ઉસ્માનભાઈ ફતેહભાઈ કડીવાર, ઈદ્રેશભાઈ ફતેહભાઈ કડીવાર અને મુસ્તાકભાઈ ઉસ્માનભાઈ કડીવાર રહે. બધા લીંબાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના ઘર પાસે ઉસ્માનભાઈ કડીવારની અરજી આધારે જમીન માપણી થતી હોય તે વખતે ચારેય આરોપીઓ ત્યાં ગાળો બોલી રહ્યા હતા અને ફરિયાદીને ઢીકાપાટુનો તથા લાકડી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મારામારીના આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News