આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

તારી સાથે નવા વર્ષના રામ રામ કરવાના થતા નથી, તું નીકળ એવુ કહીને આધેડ ઉપર ફાયરિંગ-તલવાર વડે હુમલો


SHARE













વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના રામરામ કરવા ગયેલ આધેડને તારી સાથે રામરામ કરવાના થતા નથી તું નીકળ એમ કહીને તેની સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ તેના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને આધેડને પેટ અને ડાબા પડખામાં ઇજા થઈ હતી અને તેના બાઈકમાં તલવારનો ઘા કર્યો હતો જેથી તેમા નુકસાની થઈ હતી હાલમાં સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નજીક આવેલ કેરાળા ગામે રહેતા રૈયાભાઈ છગનભાઈ ગોલતર જાતે ભરવાડ (૫૩)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગોપાલભાઈ લાખાભાઈ બાંભવા અને લાખાભાઈ ભોળાભાઈ બાંભવા રહે બંને નવા ધમલપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે નવા વર્ષના દિવસે તેઓ કેરાળા ગામે આરોપીઓને નવા વર્ષના હાથ ઊંચો કરીને રામરામ કરી હાથ મિલાવવા નજીક જતા હતા ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને "તારી સાથે રામરામ કરવાના થતા નથી તુ નીકળ એમ કહેતા" ફરિયાદી અને સાહેદ હરેશભાઈ બંને જણા ત્યાંથી ચાલ્યા ગયા હતા અને રાણીમાં રૂડીમાના મંદિરે દર્શન કરીને પરત આવતા શેરીમાં પહોંચ્યા હતા ત્યારે પાછળ ફાયરિંગનો અવાજ આવ્યો હતો અને પાછું વળીને જોતા ગોપાલભાઈ બાંભવાના હાથમાં પિસ્તોલ હતી અને તેણે બીજું ફાયરિંગ કરેલ હતું જેમાં ફરિયાદીને ડાબા પડખામાં અને પેટના ભાગે ઇજાઓ થઈ હતી અને ત્યારે બંને આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારે આરોપી લાખાભાઈના હાથમાં તલવાર હોય તે ફરિયાદીને તલવાર મારવા જતા તે ખસી ગયા હતા જેથી કરીને તલવારનો ઘા તેના મોટરસાયકલ પર લાગ્યો હતો આમ ફાયરિંગ કરીને તલવાર વડે હુમલો કરનારા બંને શખ્સોની સામે ઇજા પામેલા આધેડે સારવાર લીધા બાદ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી. સોલંકી ચલાવી રહ્યા છે






Latest News