મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના અધિકારી-પદાધિકારીની બેદરકારીથી લોકો ત્રાહિમામ: રમેશભાઈ રબારી


SHARE











મોરબી પાલિકાના અધિકારી-પદાધિકારીની બેદરકારીથી લોકો ત્રાહિમામ: રમેશભાઈ રબારી

મોરબીમાં ભાજપ શાસિત નગરપાલીકાની બેદરકારીને કારણે શહેરમાં ઠેર ઠેર ગંદકી વધી રહી છે અને ગંદકીની સાથોસાથ મચ્છરજન્ય રોગચાળો જેમાં મેલેરીયા, ડેન્ગ્યુ, તાવના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ભાજપ શાસિત મોરબી પાલીકામાં ભ્રષ્ટાચારનો ભોરીંગ બેફામ બન્યો છે

ભાજપ અને ભ્રષ્ટાચાર એક મેકના પર્યાય છે મોરબી પાલીકામાં ભાજપનું શાસન છે અને ભાજપ સંપુર્ણ બહુમતિ સાથે સતારૂઢ થયેલ છે ત્યારે આજે મોરબી ભયાનક કચરાનગરમાં ફેરફાઈ ગયુ છે શહેરનાં દરેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય, શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો, વરસાદી પાણીનાં મસમોટા ખાબોચીયા અને ઉબડખાબડ બનેલ રસ્તાઓની પીડાથી લોકો ત્રાહિમામ છે ત્યારે સુધરાઈના અધિકારી, પદાધિકારી કે કલેકટર કેમ તે બાબતે ધ્યાન આપતા નથી તે સૌથી મોટો સવાલ છે

મોરબીના લોકો મોટા ટેક્ષ પાલિકાને આપે છે તો પણ પાયાની સુવિધા લોકોને આપવામાં આવતી નથી માર્કેટ પાછળની ગંદકી, નવા બસ સ્ટેન્ડ સામે ભાજપ કાર્યાલયની સામે આવેલ સુપર માર્કેટ જેવા વાણીજય સંકુલના ગ્રાઉન્ડમાં ઉભરાતી ગટર આવી જ રીતે સાવસર પ્લોટમાં ગટર ઉભરાવાનો પ્રશ્ન, ગલીગલીએ ઉભરાતી ગટરો અને રખડતા પશુઓ, ઉકરડા, ઉબડ ખાબડ રસ્તા અને ધુળની ઉડતી ડમરીઓ હવે મોરબીની ઓળખ બની ગયેલ છે ત્યારે પાલિકાના અધિકારી અને પદાધિકારીએ આ મુદે ગંભીરતાથી વિચારવું જોઈએ અને નકકર કાર્યવાહી કરી માનવ સર્જિત મુશ્કેલીનું નિરાકરણ કરવું જોઈએ






Latest News