મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના અધિકારી-પદાધિકારીની બેદરકારીથી લોકો ત્રાહિમામ: રમેશભાઈ રબારી


SHARE











મોરબી પાલિકાના અધિકારી-પદાધિકારીની બેદરકારીથી લોકો ત્રાહિમામ: રમેશભાઈ રબારી

મોરબીમાં ભાજપ શાસિત નગરપાલીકાની બેદરકારીને કારણે શહેરમાં ઠેર ઠેર ગંદકી વધી રહી છે અને ગંદકીની સાથોસાથ મચ્છરજન્ય રોગચાળો જેમાં મેલેરીયા, ડેન્ગ્યુ, તાવના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ભાજપ શાસિત મોરબી પાલીકામાં ભ્રષ્ટાચારનો ભોરીંગ બેફામ બન્યો છે

ભાજપ અને ભ્રષ્ટાચાર એક મેકના પર્યાય છે મોરબી પાલીકામાં ભાજપનું શાસન છે અને ભાજપ સંપુર્ણ બહુમતિ સાથે સતારૂઢ થયેલ છે ત્યારે આજે મોરબી ભયાનક કચરાનગરમાં ફેરફાઈ ગયુ છે શહેરનાં દરેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય, શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો, વરસાદી પાણીનાં મસમોટા ખાબોચીયા અને ઉબડખાબડ બનેલ રસ્તાઓની પીડાથી લોકો ત્રાહિમામ છે ત્યારે સુધરાઈના અધિકારી, પદાધિકારી કે કલેકટર કેમ તે બાબતે ધ્યાન આપતા નથી તે સૌથી મોટો સવાલ છે

મોરબીના લોકો મોટા ટેક્ષ પાલિકાને આપે છે તો પણ પાયાની સુવિધા લોકોને આપવામાં આવતી નથી માર્કેટ પાછળની ગંદકી, નવા બસ સ્ટેન્ડ સામે ભાજપ કાર્યાલયની સામે આવેલ સુપર માર્કેટ જેવા વાણીજય સંકુલના ગ્રાઉન્ડમાં ઉભરાતી ગટર આવી જ રીતે સાવસર પ્લોટમાં ગટર ઉભરાવાનો પ્રશ્ન, ગલીગલીએ ઉભરાતી ગટરો અને રખડતા પશુઓ, ઉકરડા, ઉબડ ખાબડ રસ્તા અને ધુળની ઉડતી ડમરીઓ હવે મોરબીની ઓળખ બની ગયેલ છે ત્યારે પાલિકાના અધિકારી અને પદાધિકારીએ આ મુદે ગંભીરતાથી વિચારવું જોઈએ અને નકકર કાર્યવાહી કરી માનવ સર્જિત મુશ્કેલીનું નિરાકરણ કરવું જોઈએ






Latest News