મોરબીના શનાળા ગામે થયેલ સગીરની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
SHARE
મોરબીના શનાળા ગામે થયેલ સગીરની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબી નજીકના શકત શનાળા ગામે ધોકા-પાઇપથી એક જ પરિવારના ચાર લોકોની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઇજા પામેલા સગીરનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો જો કે, પોલીસે અગાઉ ફરિયાદમાં નોંધાયેલા તમામ આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા હતા જો કે, આ ગુનામાં પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે
મોરબીના શનાળા ગામે આવેલા ઇન્દિરાવાસ વિસ્તારમાં અગાઉ થયેલી મારામારીના બનાવનો ખાર રાખીને તેમજ ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો રોષ રાખીને ઇકો કારમાં ધોકા-પાઇપ સાથે આવેલા નવ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવલે હતો જે અંગે બાબુભાઈ આંબાભાઈ સોલંકી (૬૬)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાધેલા સહિત કુલ મળીને નવ શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે રાયોટીંગ અને કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને જે તે સમયે જ આરોપીઓને પકડીને જેલ હવાલે કરેલ હતા જો કે, ત્યાર બાદ આ ઘટનામાં ઇજા પામેલ રાહુલ મહેશ સોલંકી (૧૭)નું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી કરીને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને હાલમાં આ ગુનામાં આરોપ અજીતભાઇ ગોવિદભાઈ પ્રિયદર્શની (સોલંકી) (૩૮) રહે. ઇન્દીરાવાસ શકત શનાળા વાળાની ધરપકડ કરેલ છે