મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર
મોરબીના કુબેરનગરમાં રહેતા યુવાને બીમારીથી કંટાળીને ન કરવાનું કર્યું
SHARE
મોરબીના કુબેરનગરમાં રહેતા યુવાને બીમારીથી કંટાળીને ન કરવાનું કર્યું
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કુબેર નગર-૪ માં રહેતા યુવાને માનસિક બીમારીથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કુબેરનગર-૪ માં રહેતા વિજયગીરી ગજરાજગીરી ગોસ્વામી જાતે બાવાજી (૩૪) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતક યુવાનના પિતા ગજરાજગીરી લાલગીરી ગોસ્વામી (૭૦)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી મળે છેલ્લા ૧૨ વર્ષથી મૃતક યુવાનની માનસિક બીમારીની દવા ચાલુ હતી અને છેલ્લા બે દિવસથી તે કામે ગયેલ ન હતો અને ઘરમાં ગુમસુમ રહેતો હતો દરમિયાન માનસિક બીમારીથી કંટાળીને તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું હાલમાં મૃતકના પરિવારજન પાસેથી જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે









