મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્ય કાંતિલાલએ શાકમાર્કેટ અને લોહાણાપરામાં ગટર-ગંદકીનું જાત નિરીક્ષણ કર્યું


SHARE











મોરબીના માજી ધારાસભ્ય કાંતિલાલશાકમાર્કેટ અને લોહાણાપરામાં ગટર-ગંદકીનું જાત નિરીક્ષણ કર્યું

મોરબીની શાકમાર્કેટ અને તેની પાછળના ભાગમાં લોહાણાપરાં વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર અને ગંદકીની સમસ્યા છે જો કે, પાલિકા તંત્રની બેદરકારીના લીધે વેપારીઓ વેપાર કરી શકે નહીં તેવી પરિસ્થિતી નથી તો પણ લોકોની વેદન સમજીને આ સમસ્યા ઉકેલાય તે માટે કોઈ કાર્યવાહી પાલિકા દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી ત્યારે મોરબીના માજી ધારાસભ્ય શાકમાર્કેટ પહોચ્યા હતા અને ગટર-ગંદકીનું જાત નિરીક્ષણ કર્યું હતું


મોરબી પાલિકામાં બાવને બાવન બેઠક ઉપર ભાજપના સભ્યો ચૂંટાયેલા છે તો પણ લોકોની વર્ષો જૂની સમસ્યાઓ આજની તારીખે ઉકેલવાની વાત તો દૂર રહી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે મોરબીની શાક માર્કેટ અને લોહાણાપરા વિસ્તારમાં ગટર અને ગંદકીની સમસ્યા ઘણા સમયથી છે તો પણ તેને ઉકેલવામાં આવી રહી નથી જેથી વેપારીઓ અને ત્યાં આવતા ગ્રાહકો સહિતના નગરજનોના આરોગ્યને નુકશાન થાય તેવી સ્થિતિ છે ત્યારે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ત્યાં પહોચ્યા હતા અને વેપારીઓના નજીવા ખર્ચે ઉકેલી શકાય તેમ છે. તો પણ કેમ કામ કરવામાં આવતું નથી તે સમજાતું નથી આ મુદે ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટરને તેઓએ સૂચના આપી હોવાનું તેઓએ જણાવ્યુ હતુ






Latest News