મોરબીના માજી ધારાસભ્ય કાંતિલાલએ શાકમાર્કેટ અને લોહાણાપરામાં ગટર-ગંદકીનું જાત નિરીક્ષણ કર્યું
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
SHARE
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આગામી સમયમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે જેના માટે વિદ્યાર્થીઓએ પાસેથી તેના માર્ક શીટ આગામી તા ૨૦ સુધીમાં નક્કી કરેલા સ્થળે મોકલી આપવાની છે
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દરવર્ષે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પોત્સાહિત કરવા માટે સામનામ સમારોહનું આયોજન કરવામાં આવે છે દરમ્યાન આ વર્ષે આગામી સમયમાં કાર્યક્ર્મ યોજાશે તેના માટે હાલમાં તા. ૨૦ સુધીમાં વિદ્યાર્થીઓએ પાસેથી સરસ્વતી સન્માન સમારોહના આયોજન માટે તેઓના માર્ક શીટને મંગાવવામાં આવેલ છે જેમાં ધો ૧૦ અને ધો ૧૨ માં ૬૦ ટકા તેમજ ડિગ્રીમાં ૫૦ ટકા કે તેથી વધુ માર્ક હોવા જોઈએ અને મોરબી જિલ્લાના કેન્દ્રમાં જ વિદ્યાર્થીએ પરીક્ષા આપેલી હોવી જોઈએ દરેક વિદ્યાર્થીએ માર્ક શીટ પાછળ તેના નામ સરનામા લખીને અજયભાઈ ડાંગર (૯૫૭૪૪ ૯૮૦૦૦), મયુરભાઈ ગજિયા (૯૭૩૭૪ ૭૮૬૦૬) અને વિક્રમભાઈ ડાંગર (૯૯૭૯૫ ૦૯૫૪૨)નો સંપર્ક કરીને આપવાની રહેશે અને તા ૩૧ ડિસેમ્બર સુધીમાં નિવૃત થતાં કર્મચારીઓએ પણ તેની માહિતી આપવા માટે જણાવ્યુ છે