મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા પડી જવાથી ઇજા પામેલા આધેડનું મોત


SHARE







વાંકાનેરમાં અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા પડી જવાથી ઇજા પામેલા આધેડનું મોત

વાંકાનેરના દિવાનપરા રણજીતપરા વિસ્તારમાં ભારત ઓઇલ મીલની પાછળના ભાગમાં રહેતા આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા તેઓ પડી ગયા હતા અને તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને વાંકાનેરમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના દિવાનપરા રણજીતપરા વિસ્તારમાં ભારત ઓઇલ મીલની પાછળના ભાગમાં રહેતા ભરતભાઈ નરસીભાઈ સોલંકી જાતે કોળી (૫૦) નામના આધેડ પોતાના ઘરે અગાસીમાં પગથીયા ચડતી વખતે પગે ઠેસ વાગતા પડી ગયા હતા જેથી કરીને તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેઓને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના પરિવારજન નીતિનભાઈ અરવિંદભાઈ સોલંકી રહે. દિવાનપરા રણજીતપરા ભારત ઓઇલ મીલની પાછળ વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મહિલાનું મોત

અમદાવાદમાં ઇન્ડિયા બુલ્સ સેન્ટમ સરસપુર ખાતે રહેતા હિરલબેન ભરતભાઈ ડાભી જાતે રજપૂત (૩૯) નામની મહિલા વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં શંકર ભગવાનના મંદિર પાસે હતી ત્યારે તેને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તે મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા સારવાર દરમિયાન ત્યાં ફરજ પરના હાજર ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી જેથી આ બનાવની મોરબીની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના વાલજીભાઈ રામજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે






Latest News