મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે બે દુકાનમાંથી નશીલિ આર્યુવેદિક શીરપની ૧૦૦ બોટલો કબજે


SHARE







મોરબીના પીપળી રોડે બે દુકાનમાંથી નશીલિ આર્યુવેદિક શીરપની ૧૦૦ બોટલો કબજે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવી છે જેથી કરીને પોલીસ દ્વારા જુદાજુદા વિસ્તારમાં સમયાંતરે ચેકિંગ કરીને નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો પકડવામાં આવે છે ત્યારે મોરબી તાલુકાના પીપળી રોડ આવેલ ઓમ કોમ્પ્લેક્ષમાં આવેલ જુદીજુદી બે દુકાનોમાં પોલીસે ચેકિંગ કર્યું હતું ત્યારે તે દુકાનોમાંથી નશીલિ આર્યુવેદિક શીરપનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને ૧૦૦ બોટલો કબજે કરી હતી અને હાલમાં આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી રોડ આવેલ ઓમ કોમ્પ્લેક્ષમાં આવેલ જુદીજુદી દુકાનોમાં આર્યુવેદિક શીરપનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની હક્કિત જયદેવસિંહ ઝાલા તથા હરેશભાઇ આગલને મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પીઆઇ પી.એ.દેકાવાડીયાની સૂચના મુજબ પીએસઆઈ વી.જી.જેઠવા અને તેની ટીમે ઓમ કોમ્પ્લેક્ષમાં શિવ કિરાણા સ્ટોર નામની દુકાન ધરાવતા મોરબીમાં ભડીયાદ કાંટે જવાહાર સોસાયટીમાં રહેતા મહેશભાઇ દાનજીભાઇ ચૌહાણ જાતે અનુ.જાતિ (૩૭)ની દુકાનમાં ચેકિંગ કર્યું હતું ત્યારે દુકાનમાંથી ગેરકાયદેસર નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીરપની ફૂલ ૮૦ બોટલ જેની કિંમત ૧૨,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો આવી જ રીતે ઓમ કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા કિરણ મમૂભાઇ અખિયાણી (૧૯)ની દુકાન ચેક કરી હતી ત્યારે તેની દુકાનમાંથી નશીલા આર્યુવેદિક શીરપની કુલ મળીને ૨૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ બંને દુકાનમાંથી મળી આવેલ નશીલા આર્યુવેદિક શીરપની બોટલો શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરી પીએસઆઈ વી.જી.જેઠવા તથા જયદેવસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, દિનેશભાઇ બાવળીયા, વનરાજભાઇ ચાવડા, હરેશભાઇ આગલ, કુલદિપભાઇ કાનગડ, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા કેતનભાઇ અજાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા યશવંતસિંહ ઝાલાએ કરી હતી






Latest News