હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

બનાસકાંઠાના દાતા નજીક સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા મોરબીના લોકોની વ્હારે આવ્યું જિલ્લા વહિવટીતંત્ર


SHARE













બનાસકાંઠાના દાતા નજીક સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા મોરબીના લોકોની વ્હારે આવ્યું જિલ્લા વહિવટીતંત્ર

બનાસકાંઠાના દાંતા નજીક ત્રિશુલિયા ઘાટ પાસે અકસ્માતની ઘટના બનતા ત્યાં મોરબી જિલ્લાના સામાન્ય ઈજાગ્રસ્તો લોકોને મોરબી જિલ્લા વહીવટી તંત્રએ રાજકોટથી બસથી રીસિવ કરી તેમની સારસંભાળ રાખી મોરબીમાં તેમના ઘર સુધી પહોંચાડ્યા હતા.

ગત રાતે બનાસકાંઠાના દાંતા નજીક ત્રિશુલિયા ઘાટ પાસે અકસ્માતની ઘટના બની હતી ત્યારે અકસ્માત ગ્રસ્ત ખાનગી બસમાં સવાર મોરબી શહેર તથા તાલુકાના ઇજાગ્રસ્તો સાથે મોરબી કલેકટર જી.ટી. પંડયાએ ટેલીફોનિક વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા અને જિલ્લા વહીવટી તંત્ર તેમની સાથે છે એવી ખાતરી આપી હતી. ટેલીફોનિક વાતચીત દરમિયાન આ ઈજાગ્રસ્તો પૈકી સામાન્ય ઇજાગ્રસ્ત લોકોએ પરત મોરબી આવવાની ઈચ્છા વ્યક્ત કરતા મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રાજકોટથી તેમને તેડવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોડી સાંજે તેઓ ત્યાંના સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી દાંતાથી રાજકોટ આવવા માટે રવાના થયા હતા.

કલેકટર દ્વારા મોરબી નિવાસી અધિક કલેકટર એન.કે.મુછારને આ ઈજાગ્રસ્તોને રાજકોટ થી મોરબી માટેની વ્યવસ્થા કરવાનું જણાવતા જિલ્લા કલેકટર તથા નિવાસી અધિક કલેકટરના માર્ગદર્શન હેઠળ મોરબી ગ્રામ્ય મામલતદાર નિખીલ મહેતા તથા સ્ટાફના સિનિયર તલાટી જય કિશન લીખીયા મોડી રાતે રાજકોટ જવા રવાના થયા હતા. વહેલી સવારે ત્રણ વાગ્યે આ ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે રિસીવ કર્યા હતા. ત્યારે ઠંડીનો માહોલ હોવાથી દરેકને ઓઢવા માટે ધાબળા તથા પીવાના પાણી તેમજ પ્રાથમિક સારવારની સુવિધાઓ પૂરી પાડી તેઓને હેમખેમ મોરબી ખાતે લાવી વહેલી સવારે ૬:૦૦ વાગે તેઓના ઘરે પહોંચાડતા તેઓના પરિવારના સભ્યોએ જિલ્લા વહીવટી તંત્રનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ વરિષ્ઠ નાગરિકો કે જેઓની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે તેઓ પોતાની રીતે મુસાફરી કરતા હતા. અકસ્માત બાદ વહીવટી તંત્ર દ્વારા તેઓને સામાન ઊંચકવાની પણ તસ્દીર લેવી પડે તેવી વ્યવસ્થા કરી હતી. જેથી આવા જ એક સિનિયર સિટીઝન નાગરિકે ઘરના દીકરા સાચવે એવી જ રીતે વહીવટી તંત્રએ સાચવ્યા હોવાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.






Latest News