હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક લૂંટના ઇરાદે યુવાનની હત્યાના ગુનામાં ત્રણ બાળકિશોરને હસ્તગત કરીને બાળ સુધારણા ગૃહમાં ખસેડાયા


SHARE













મોરબી નજીક લૂંટના ઇરાદે યુવાનની હત્યાના ગુનામાં ત્રણ બાળકિશોરને હસ્તગત કરીને બાળ સુધારણા ગૃહમાં ખસેડાયા

મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ કારખાના પાસે રવિવારે વહેલી સવારે યુવાનને છાતીના ભાગે છરીનો ઘા ઝીકિ દેવામાં આવ્યો હતો જેથી તેને સારવારમાં લઈ ગયા હતા જો કેસારવારમાં તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક યુવાનના ભાઈએ અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળકિશોરને હસ્તગત કરીને જ્યુએનાઈલ જસ્ટિસ કોર્ટમાં રજૂ કરીને હાલમાં ત્રણેયને બાળ સુધારણા ગૃહમાં ખસેડાયા આવ્યા છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ખોખરા હનુમાન મંદિર વાળા રોડ ઉપર આવેલ ફયુઝન ગ્રેનાઇટો નામના કારખાના પાસે મૂળ એમપીના રહેવાસી અમરશી નારાયણ સરકાર જાતે રાજપૂત (૨૩) નામનો યુવાન ગત રવિવારે સવારે છ વાગ્યાના અરસામાં કુદરતી હાજતે ગયો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેને છાતીના ભાગે છરીનો ઊંડો ઘા ઝીકિ દીધો હતો જેથી તેને ગંભરી ઇજા થયેલ હોવાથી સારવારમાં લઈને ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવમાં મૃતક યુવાનના ભાઈ રાજીવ નારાયણ રાજક્રિશ્ન સરકાર જાતે રાજપૂત (૨૦) રહે. મૂળ એમપી હાલમાં રહે ફયુઝન ગ્રેનાઇટો ખોખરા હનુમાન મંદિર રોડ મોરબી વાળાએ અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ તેમજ એલસીબીની ટિમ આરોપીને શોધી રહી હતી તેવામાં કારખાના નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવતા ત્રિપાલ સવારી એક બાઇક ત્યાંથી નિકળ્યું હતું જેની તપાસ કરવામાં આવતા હત્યાનો ભેદ ઉલેકાઈ ગયેલ છે અને વધુમાં પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ હત્યાના આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળકિશોરને હસ્તગત કરવામાં આવ્યા હતા અને તેની પૂછપરછમાં તેને જણાવ્યુ હતું કે, લૂંટના ઇરાદે મૃતક યુવાન પાસે ગયા હતા અને ત્યારે મૃતક યુવાને પ્રતિકાર કરતાં તેને છરી મારી દીધી હતી અને યુવાનનું મોત નીપજયું હતું હાલમાં કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળકિશોરને હસ્તગત કરીને જ્યુએનાઈલ જસ્ટિસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ત્રણેયને બાળ સુધારણા ગૃહમાં ખસેડાયા આવ્યા છે 






Latest News