હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

જેરામભાઈએ નૈતિકતાના ધોરણે ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી રાજીનામુ આપવું જોઈએ: મનોજ પનારા


SHARE













જેરામભાઈએ નૈતિકતાના ધોરણે ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી રાજીનામુ આપવું જોઈએ: મનોજ પનારા

તાજેતરમાં વાંકાનેરના વઘાસિયા ટોલનાકની બાજુમાં બોગસ ટોલનાકુ ઊભું કરીને ઉઘરાણા કરવામાં આ હતા તેની ફરિયાદ નોંધાયેલ છે જેમાં ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના દીકરાનું નામ પણ આરોપી તરીકે છે ત્યારે મોરબીમાં રહેતા પાસ અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ જેરામભાઈએ નૈતિકતાના ધોરણે ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી રાજીનામું મૂકવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરીને તેઓના રાજીનામાની માંગ કરેલ છે

મોરબીમાં રહેતા પાસ અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ સોશ્યલ મીડિયામાં તેનો એક વિડીયો અપલોડ કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વઘાસિયાના બોગસ ટોલનાકા પ્રકરણમા ઉમિયાધામ સીદસર પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના દીકરા અમરસીભાઈનું નામ છે અને તેના સહિત કુલ પાંચ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાયેલ છે ત્યારે જેરામભાઈએ નૈતિકતાના ધોરણે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરીને તેના રાજીનામાંની માંગ કરી છે વધુમાં મનોજ પનારાએ જણાવ્યું છે કે, જેરામભાઈ વાસજાળીયા લાંબા સમયથી પ્રમુખ પદે છે અને સમાજમાં તેનો આંતરિક વિરોધ પણ છે અને પાટીદાર અનામત આંદોલન સમયે પણ જેરામભાઈની વરવી ભૂમિકા રહી હતી જેથી કરીને હાલમાં જેરામભાઈએ પોતાના પદ ઉપરથી સ્વૈચ્છીક રીતે રાજીનામુ આપવું જોઈએ અને યુવાનોને સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટેની તક આપવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી છે






Latest News