ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આનંદાલય યુનીટ દ્વારા પ્રેરણા સભા યોજાઈ


SHARE













વાંકાનેરમાં આનંદાલય યુનીટ દ્વારા પ્રેરણા સભા યોજાઈ

આનંદાલય એ ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત સંસ્થા છે, આ સંસ્થા દ્વારા વ્યક્તિની સ્વ સુધારણા, લોકોનું ચારિત્ર્ય નિર્માણ સહ સર્જન, કર્મયોગ, મોજીલો પરિવાર, કર્તવ્યબોધ, હું જ મારો સર્જનહાર, આત્મબોધ વગેરે જેવા ગુણોની ખીલવણી કરતી સંસ્થા આનંદાલયના વાંકાનેર યુનિટની પ્રેરણા સભા યોજાઈ ગઈ જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. પાયલબેન ભટ્ટ અને રજિયાબેન હેરંજા તથા સીમાબા ઝાલાએ જણાવ્યું હતું કે આનંદાલય ચારિત્રય નિર્માણને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી સંસ્થા છે. વાંકાનેરમાં વિદ્યાભારતી સંકુલમાં આ પ્રેરણા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આનંદાલયનો મુખ્ય ધ્યેય, હેતુઓ અને કાર્ય પ્રકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી. રાતીદેવડી ગામમાં પણ બહેનો માટે પણ પ્રેરણા સભાનું આયોજન કર્યું હતું.આનંદાલયના મુખ્ય સ્થાપક ડૉ. અતુલભાઈ ઊનાગર પણ ઉપસ્થિત રહ્યા હતા.ડૉ અતુલભાઈ ઊનાગર, રજિયાબેન હેરંજા, ડો.પાયલબેન ભટ્ટ અને સીમાબા ઝાલાએ વિદ્યાભારતી સંકુલના ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો.






Latest News