મોરબીના જલારામ મંદિરેથી રાહતદરે અડદીયા-ચીકીનું વિતરણ શરૂ
SHARE
મોરબીના જલારામ મંદિરેથી રાહતદરે અડદીયા-ચીકીનું વિતરણ શરૂ
મોરબી જલારામ મંદિર ખાતે દરરોજ સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ ઘી ના અડદીયા સાથે ચીકી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને અડદીયા તેમજ ચીકી મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. તેવું આયોજકોએ જણાવ્યુ છે
મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ ઘી ના ડ્રાયફ્રુટ થી ભરપુર મસાલેદાર અડદીયા પ્રતિ કીલો રૂ. ૩૫૦ ના ભાવે અવિરતપણે વિતરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે વિવિધ જાતની ચીકીનું પણ સર્વજ્ઞાતિય વિતરણ શરૂ થઈ ગયેલ છે. જે અંતર્ગત ડ્રાઈફ્રુટ, કાજુ, બદામ, પિસ્તા, તલ-સિંગ-દાળીયા સહીત ની વિવિધ જાતની ચીકીનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. અને વિવિધ પ્રકારની ચીકી રૂ. ૭૦, ૮૦, ૧૦૦ ના ભાવે ૫૦૦ ગ્રામ પેકિંગમાં ઉપલબ્ધ છે. આ વિવિધ જાતની ચીકી તેમજ અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી તેમ શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડએ જણાવ્યુ છે