મોરબીની સબ જેલમાં ડો. બાબાસાહેબને મહા પરીનિર્વાણ દિને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા
SHARE
મોરબીની સબ જેલમાં ડો. બાબાસાહેબને મહા પરીનિર્વાણ દિને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા
મોરબી સબ જેલમાં ૬ ડિસેમ્બર ડો. બાબાસાહેબ આબેડકરના મહા પરીનિર્વાણ દિને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા "We are indians firstly & lastly" આ મહાન શબ્દો છે ડો. બાબા સાહેબ આંબેડકરના, બાબા સાહેબ કોઈ પણ સમાજ અને ધર્મ પહેલા દેશને અગ્રીમતા આપતા હતા, તેઓએ દેશના બધા જ નાગરિકોને સમાન હક મળે તે માટે ના જ પ્રયત્નો કર્યા છે દેશને વિશ્વનું સૌથી મોટું બંધારણ આપ્યું હોય, આ દેશ ને સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના હક્કો આપ્યા હોય, સમગ્ર વિશ્વમાં જે વ્યક્તિત્વના પાઠ આજે ભણાવવામાં આવતા હોય, જેની મહાનતા અને નોલેજનો ડંકો વિશ્વના તમામ દેશોમાં વાગે છે આજે આ મહાન વ્યક્તિત્વ, ભારતરત્ન, વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનનિમિત્તે અત્રેની જેલના ઇ.ચા.અધિક્ષક પી.એમ.ચાવડાનાઓ તથા જેલના કર્મચારીઓ સાથે જેલના બંદિવાનો હાજર રહેલા હતા.અને ડો.બાબા સાહેબ આબેડકરને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.