મોરબીના ગૌરક્ષકોએ ૮૪ પાડા ભરેલ ટ્રક સાથે બેને પકડ્યા: સરખેજ પોલીસ મથકે ગુનો નોંધાયો
મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહ મિલન યોજાયુ
SHARE
મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહ મિલન યોજાયુ
મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહ મિલન જ્ઞાતિની ભોજનશાળા ખાતે યોજાયુ હતુ.જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો સહ પરિવાર હાજર રહ્યા હતા.મોરબીના રામગઢ પાસે આવેલ જ્ઞાતીની ભોજન શાળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.જેને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.જ્ઞાતિના આગેવાનો દ્વારા જ્ઞાતિજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવ્યા બાદ જ્ઞાતીજનોના નામ મનોરંજન માટે કરાઓકે નો મ્યુઝિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સાથે ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ મહેશભાઈ બી.ભટ્ટ, મંત્રી રમેશભાઈ રાવલ તેમજ ટ્રસ્ટી મંડળના રાજુભાઈ જોષી, મહેશભાઈ પંડિત, મયુરભાઈ શુકલ, સનતભાઇ ભટ્ટ, હિતેશભાઈ જાની અને તરુણભાઈ વ્યાસ સહિતઓએ જહેમત ઉઠાવી હતી મોટી સંખ્યામાં જ્ઞાતિના ભાઈઓ બહેનો સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.