મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત મોરબીમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડેલા યુવાનનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત ​​​​​​​મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડે પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત મોરબીમાં રહેતા યુવાને દીકરીને ઓનલાઈન કલાસમાં શિક્ષણ માટે પેમેન્ટ કરાવતા 11 હજારની છેતરપિંડી ટંકારામાં વિશ્વ મહિલા દિવસ દરમિયાન ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબી જિલ્લામાં માર્ચ-૨૦૨૬ માસનો ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ તા. ૨૬મીએ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના અમિત કોટેચા હત્યા કેસમાં સ્પેશ્યલ પી.પી. તરીકે ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા


SHARE













વાંકાનેરના અમિત કોટેચા હત્યા કેસમાં સ્પેશ્યલ પી.પી. તરીકે ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા,ગુજરાત સરકાર દ્વારા ખાસ નિમણુંક અપાઈ

વાંકાનેરમાં તા.11/9/2023ના રોજ મોડી રાત્રે 1 વાગ્યે અમરનાથ સોસાયટીના નાકે લેથવાળાની દુકાન પાસેથી અમિત ઉર્ફે લાલો અશ્ર્વિનભાઈ કોટેચા લોહીથી લથબથ હાલતમાં મળી આવેલ. તેને સારવારમાં ખસેડતા મૃત જાહેર કરાયો હતો. તપાસમાં તેના ગુપ્ત ભાગે છરી ઝીંકી હત્યા કરાયાનુ ખુલ્યુ હતુ. મૃતકના ભાઈ હિમાંશુ ઉર્ફે કાનાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ઈમરાન ફારૂકભાઈ છબીબી, ઈનાયત ઉર્ફે ઈનીયો અયુબ પીપરવાળીયા અને સરફરાઝ હુશેન મકવાણા સામે ફરીયાદ આપતા પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી હતી. આ કેસમાં મૃતકના ભાઈ ફરીયાદી હિમાંશુ ઉર્ફે કાના કોટેચા દ્વારા સરકારમાં અરજી કરી આ કેસમાં ખાસ સરકારી વકીલ એટલે કે સ્પે. પી.પી.ની નિમણુંક કરવા માંગ કરાઈ હતી. જેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાની આ કેસમાં મૃતક અને તેના પરિવારને ન્યાય અપાવવા સ્પે. પી.પી. તરીકે નિમણુંક કરાઈ હતી.




Latest News