હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે દરિયાલાલ ઉત્સવ સમિતીનું વિસ્તરણ અને ૨૧ સભ્યોની કમિટીની રચના માટે મિટિંગ યોજાશે


SHARE













મોરબીના જલારામ મંદિરે દરિયાલાલ ઉત્સવ સમિતીનું વિસ્તરણ અને ૨૧ સભ્યોની કમિટીની રચના માટે મિટિંગ યોજાશે

મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં વાઘરવા ગામે શ્રી દરિયાલાલ દાદા મંદિરનું મંદિર આવેલ છે ત્યાં દર મહિનાની સુદ બીજની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે જેના માટે દરિયાલાલ ઉત્સવ સમિતીની રચના કરેલ છે. જોકે, તેનું વિસ્તરણ કરીને હવે ૨૧ સભ્યોની કમિટીની રચના કરવાનું નકિક કરેલ છે જેના માટે મોરબીના જલારામ મંદિરે આગામી રવિવારે મિટિંગ રાખવામા આવેલ છે

બુટેશ્વરી માતાજી તથા દરિયાલાલ દાદાનું કૃપાથી વાધરવા મુકામે દર મહિનાની સુદ બીજની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અને બીજની ઉજવણી તથા ભોજન પ્રસાદની વ્યવસ્થા માટે દરિયાલાલ ઉત્સવ સમિતીની રચના કરેલ છે. જેનું વિસ્તરણ કરીને ૨૧ સભ્યોની કમિટીની રચના કરવાનું નકિક કરેલ છે. અને આ માટેની મિટીંગ આગામી તા.ર૪/૧૨ ને રવિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ જલારામ પ્રાર્થના મંદિર ખાતે રાખવામા આવેલ છે આ મિટીંગમાં ૨૧ સભ્યોની નિમણુંક કરી શ્રી દરિયાલાલ ઉત્સવ સમિતીનું વિસ્તરણ કરવું, બુટેશ્વરી માતાજી તથા દરિયાલાલ દાદાના મંદિરમાં જરૂરી વિકાસના કાર્યો કરવા, દર માસે બીજની ઉજવણી તથા ભોજન પ્રસાદ માટે યોગ્ય વ્યવસ્થા કરવી, વાધરવા ખાતે આવેલ ધર્મશાળાનું યોગ્ય રીનોવેશન કરી ભોજનની તથા રહેવાની વ્યવસ્થા કરવી જેથી બહારગામથી આવતા લોકોને સગવડતા મળી રહે તે માટેના મુખ્ય એજન્ડા રાખવામા આવેલ છે જેથી કરીને આ તકે બહોળી સંખ્યામાં સમાજના લોકોને હાજરી આપવા માટે જલારામ પ્રાર્થના મંદિર અને દરિયાલાલ ઉત્સવ સમિતીના હોદેદારો અને આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવેલ છે અને મિટીંગ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે






Latest News