મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા-કાંતિપૂર ફીડરમાં વીજ ધાંધીયાની ઉર્જા મંત્રીને રજૂઆત


SHARE

















મોરબીના બગથળા-કાંતિપૂર ફીડરમાં વીજ ધાંધીયાની ઉર્જા મંત્રીને રજૂઆત

મોરબી જિલ્લાના બગથળા- કાંતિપૂર ફીડરમાં વારંવાર વીજ કાપ આવે છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ મુદે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં ઊર્જા મંત્રી કનુંભાઈ દેસાઈને રજૂઆત કરેલ છે

મોરબીમાં રહેતા કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં ઊર્જા મંત્રી કનુંભાઈ દેસાઈને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે મોરબી જિલ્લામાં ટંકારા ડિવિઝન હેઠળ બગથળા-કાંતિપૂર ફીડર આવેલ છે. આ ફીડર માં ઘણી નાની નાની ફેક્ટરીઓ આવેલ છે હાલમાં આ ફીડરમાં વારંવાર પાવર કાપ આવે છે અને અવારનવાર લાઈટ જતી રહે છે. જેના કારણે નાની નાની ફેક્ટરી માલિકોને પોતાનું ઉત્પાદન લેવામાં ખુબજ તકલિફ પડે છે. અને તેઓને પાવર કાપના કારણે મોટું નુકસાન જાય છે. જેથી આ ફીડરમાં નિયમિત પાવર આવતો રહે તેવું કરવા માંગ કરેલ છે 




Latest News