માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં નવા રોડના કામ માટે ૧૦ કરોડની ગ્રાન્ટ મંજુર, વર્ષો સુધી ન તૂટે તેવા રોડ બનાવવાનું આયોજન: કાંતિભાઈ અમૃતિયા


SHARE













મોરબીમાં નવા રોડના કામ માટે ૧૦ કરોડની ગ્રાન્ટ મંજુર, વર્ષો સુધી ન તૂટે તેવા રોડ બનાવવાનું આયોજન: કાંતિભાઈ અમૃતિયા

મોરબી પાલિકામાં હાલમાં વહીવટદારનું શાસન છે અને ચીફ ઓફિસર પણ મૂકવામાં આવ્યા છે જોકે, લોકોની સુખાકારી માટે ભાજપના ધારાસભ્ય અમૃતિયા હાલમાં પાલિકાની કામગીરી ઉપર દેખરેખ રાખી રહ્યા છે તેવામાં પાલિકા ખાતે ધારાસભ્ય દ્વારા વહીવટીદાર, ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરવામાં આવી હતી અને મોરબીમાં નવા રોડ રસ્તા માટે ૧૦ કરોડ મંજુર કરવામાં આવેલ છે તેનો ઉપયોગ કરીને વર્ષો સુધી ન તૂટે તેવા રોડ મોરબીમાં બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને રવાપર અને પંચાસર રોડ ખોદીને નવા બનાવવામાં આવશે તેવું ધારાસભ્યએ જણાવ્યુ છે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબી પાલિકા ખાતે વહીવટીદાર, ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરી હતી ત્યાર બાદ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબીમાં આગામી સમયમાં રોડ સહિતના વિકાસ કામો કરવાના છે તેમાં ૧૦૦ ટકા સારી ક્વોલિટીના કામ કરવાના છે અને પ્રજાનો કે સરકારનો એકપણ રૂપિયો ખોટો ન વપરાય તેની પૂરેપૂરી તકેદારી રાખવાની છે વધુમાં જણાવ્યુ હતું કે, મોરબીમાં નવા રોડ માટે ૧૦ કરોડ મંજૂર કરવામાં આવેલ છે ત્યારે રોડ ઉપર રોડ નહીં પરંતુ જૂના રોડ તોડીને નવા રોડ સારી ગુણવતાના બનાવવા માટે કોન્ટ્રાકટરો અને અધિકારીઓને ટકોર કરી હતી

આગામી સમયમાં રવાપર રોડ, પંચાસર રોડ, ભક્તિનગર સર્કલ પાસે યદુનંદન, નીલકંઠ સોસાયટી, પંચાસર રોડ ઉપર શ્યામ પાર્ક સોસાયટી, દલવાડી સર્કલથી આવાસ યોજનાનો રસ્તો, સામાકાંઠે પાવન પાર્કનો મેઈન રોડ, વીસીપરાના વિવિધ રોડ, તખ્તસિંહજી, કંસારા શેરી વિગેરે ઉપર પેવર બ્લોક, સીસીરોડ અને ડામર રોડના કામ કરવામાં આવનાર છે અને જયારે કામ કરવામાં આવે ત્યારે વેપારીઓ અને સ્થાનિક લોકોને ધીરજ રાખવા તેમજ અધિકારીઓને ધ્યાન આપવા ધારાસભ્યે જણાવ્યુ છે

વધુમાં પાલિકાના વહીવટીદાર એન.કે. મુછારે જણાવ્યું હતું કે, ગ્રાન્ટનો સદઉપયોગ થાય તેમજ રોડ સારા બને તે માટે પાલિકા કટીબદ્ધ છે અને આ કામો માટે ટેન્ડર મજૂર કરી એજન્સીઓ ફાઇનલ કરી છે. તેમજ નવા રોડના કામોમાં ટ્રાફિક ન થાય તેમજ બીજા કોઈ પ્રશ્નો ઊભા ન થાય તે રીતે કરવામાં આવશે જ્યારે પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, ૧૦ કરોડના ખર્ચે વિકાસ કામો થવાના છે આ કામો નિયમો મુજબ અને સમયસર થાય તે માટે કોન્ટ્રાક્ટરોને તાકીદ કરેલ છે






Latest News