ટંકારા બાર એસો.ના હોદેદારોની બિન હરીફ વરણી કરાઇ: પ્રમુખ પરેશભાઈ ઉજરીયા
SHARE
ટંકારા બાર એસો.ના હોદેદારોની બિન હરીફ વરણી કરાઇ: પ્રમુખ પરેશભાઈ ઉજરીયા
ટંકારા બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. નવા હોદેદારોને બાર એસો.ના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત નવી ટીમે હંમેશા કાર્યરત રહેશે તેવી ખાતરી આપી હતી. ટંકારા બાર એસો.ની ચુંટણી ન કરવાની પરંમપરા જાળવી રાખી સર્વાનુમતે નિર્ણય લેવાયો છે
ટંકારા બાર એસોના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં ટંકારા બાર એસો.ના પ્રમુખ પદે પરેશભાઈ ઉજરીયા, ઉપપ્રમુખ પદે કાનજી દેવડા અને સેકેટરી પદે અમિત જાનીની વરણી કરવામાં આવી હતી. નવા હોદેદારોને ટંકારા બાર એસો.ના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી અને અને નવા હોદ્દેદારોએ પણ એડવોકેટ સંબંધિત કોઈપણ મુશ્કેલીઓના નિવારણ માટે નવી ટીમ હંમેશા કાર્યરત રહેશે તેવી ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ટંકારા કોર્ટ કાર્યરત થઈ ત્યારથી અત્યાર સુધી બાર એસો. દ્વારા કોઈપણ વખત ચુંટણી યોજાઈ નથી. આ માટે કાયદાના તજજ્ઞ અતુલ ત્રિવેદી અને પિયુષ ભટાસણા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. અને આ તકે પંથક જાણતા વકીલ આર.જી. ભાગિયા, સંજય ભાગિયા, અલ્પેશભાઈ દલસાણિયા, હિરેનભાઈ નિમાવત, અરવિંદભાઈ છત્રોલા, હિતેષભાઈ ભોરણિયા, બી.વી.હાલા, અમિત ભટાસણા, બિપીન સોલંકી સહિતના વકીલો હાજર રહ્યા હતા