મોરબીમાં ગંગા સ્વારૂપ સહાય સમિતિ દ્વારા ૮ મો સમૂહલગ્નનું આયોજન: નામ નોંધણી શરૂ
મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન માટે સલાહકાર સમિતિની રચના કરાઇ
SHARE
મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન માટે સલાહકાર સમિતિની રચના કરાઇ
મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેમાં નજર બાગ રેલ્વે સ્ટેશન માટે જે સલાહકાર સમિતિ બનાવવામાં આવી છે તેમાં ૫ સભ્યોને લેવામા આવ્યા છે જેમાં સુરેશભાઇ સીરોહિયા, બચુભા રાણા, રાજનભાઇ પુરબિયા, કલ્પેશભાઇ કાચા અને યોગેશભાઈ સોનાગ્રાને લેવામાં આવેલ છે ત્યારે મોરબીના સુરેશભાઈ સીરોહિયાની આ સમિતિમાં વરણી કરવામાં આવતા મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ તેમને શુભકામના આપેલ છે અને ખાસ કરીને મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનને સુધારણા કરવામાં તેઓનો સિંહ ફાળો છે જેની નોંધ લઈને તેઓની પસંદગી રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મોરબી જિલ્લાની સલાહકાર સમિતિમાં કરવામાં આવી છે