મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં શોર્ટ લગતા સારવારમાં લઈ જવાયેલા યુવાનનું મોત


SHARE













વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં શોર્ટ લગતા સારવારમાં લઈ જવાયેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ કારખાનાની અંદર કામગીરી દરમિયાન યુવાનને વીજ શોક લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ વેન્ટો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની અંદર કામગીરી દરમિયાન પ્રકાશકુમાર નોષાદ (ઉંમર ૨૨) નામના યુવાનને વીજ શોક લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજયુ હતું ત્યાર બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આધેડનું મોત

ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા રાજેશભાઈ કરસનભાઈ સાકરીયા (ઉંમર ૫૦) ને ઉધરસ આવતાં બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ તેને બેભાન અવસ્થામાં રાજકોટ ખાતે સારવાર માટે લઈને ગયા હતા ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા માટે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News