ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ


SHARE













વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા શખ્સની ઘરની અંદર ગાંજાનો જથ્થો હોવાની હકીકત આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી 935 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી ગાંજો અને મોબાઈલ મળીને કુલ 51,750 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે ઘરધણીની ધરપકડ કરી હતી અને ગાંજો આપનારનું નામ સામે આવ્યું હોય પોલીસે બંને શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લા એસઓજીની ટિમે વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા વસીમભાઈ બલોચના રહેણા મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત આધારે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 935 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 46,750 ની કિંમતનો ગાંજો 50,00 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન આમ પુલ મળીને 51,750 ની કિંમતના મુદ્દામાલને કબ્જે કર્યો છે અને સ્થળ ઉપરથી આરોપી વસીમભાઈ ઉર્ફે લાલો રફિકભાઈ બ્લોચ (40) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તેણે સોહીલ પઠાણ રહે. મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

આધેડનું મોત

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ભક્તિનગર સર્કલ બ્રિજ નીચે બીમાર અવસ્થામાં રહેલા અજાણ્યા ૬૫ વર્ષના આધેડનું મોત નિપજયુ હતુ.જેને પગલે એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરવામાં આવી હતી જેની તપાસ સ્ટાફના એસ.કે.બાલાસરા દ્વારા કરવામાં આવી હતી.






Latest News