વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે પટેલ સમાજની વાડીમાં હિમોગ્લોબિન-કેન્સર જાગૃતિનો સેમિનાર યોજાશે


SHARE













મોરબીના શનાળા ગામે પટેલ સમાજની વાડીમાં હિમોગ્લોબિન-કેન્સર જાગૃતિનો સેમિનાર યોજાશે

મોરબી નજીકના શક્ત શનાળા ગામે આવેલ પટેલ સમાજની વાડી ખાતે હિમોગ્લોબિન-કેન્સર જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૧૨ જાન્યુઆરીના રોજ રાતે ૮:૩૦ કલાકે આ કાર્યક્રમ યોજાવાનો છે

શનાળા ગામે આવેલ પટેલ સમાજમાં યોજાનરા કાર્યક્રમમાં ઓન્કોલોજીસ્ટ/ હેમેટોલોજીસ્ટ ડો. ભાણજીભાઈ કુંડારિયા દ્વારા આપણા રોજિંદા જીવનમાં હિમોગ્લોબિનના મહત્વ વિશે અને કોઈપણ પ્રકારના કેન્સર કેવી રીતે અટકાવવા તે વિશે સલાહ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડો. કુંડારિયા કેલિફોર્નિયાના સાન્ટા મારિયામાં ઓન્કોલોજીસ્ટ છે અને એટ્રિયમ હેલ્થ કેરોલિનાસ મેડિકલ સેન્ટર અને મેકલિઓડ રિજનલ મેડિકલ સેન્ટર સહીત વિસ્તારની બહુવિધ હોસ્પિટલો સાથે જોડાયેલા છે. તેમણે બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદમાંથી તેમની મેડીકલ ડિગ્રી પ્રાપ્ત કરી અને ૪૫ વર્ષથી વધુ સમયથી પ્રેક્ટિસમાં છે. તેમજ પોતાની માતૃભૂમિને મદદ કરવા તેમણે રાજકોટમાં કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી છે. આ આરોગ્યની જાગૃતિને લગતા કાર્યક્રમમાં વધુને વધુ લોકોને જોડાવવા જણાવવામાં આવ્યું છે.






Latest News