મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો
Breaking news
Morbi Today

વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રકતતુલા,સર્વરોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો


SHARE







વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રકતતુલા,સર્વરોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો

67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં માલીયાસણ ગામની વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રી રામ સેતુ સર્વરોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા સૌના લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી કે જેમને જાલીડા ગામ ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બને તે માટે પહેલા પગમાં ચંપલનો ત્યાગ કર્યો હતો અને હાલ ભોજનમાથી અનાજ અને કઠોળ નો ત્યાગ કરેલ છે ત્યારે તેમને બિરદાવવાં માટે માલીયાસણ ગામની વિવિધ સંસ્થાઓ દ્વારા સર્વે રોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રકતતુલા કરી બિરદાવવામાં આવ્યા હતા.તે પ્રસંગે ડો.સતીષ સરૈયા તેમજ બહોળી સંખ્યામાં માલીયાસણ ગામનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News