મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પતંગની દોરીથી ૧૩૦ થી વધુ પક્ષી ઘાયલ: ૮ જેટલા પક્ષીના મોત


SHARE













મોરબીમાં પતંગની દોરીથી ૧૩૦ થી વધુ પક્ષી ઘાયલ: ૮ જેટલા પક્ષીના મોત

મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા ત્યારે પતંગની દોરી વાગવાથી ઘણા પક્ષીઓ ઘાયલ થાય હતા જો વાત કરીએ મોરબીની તો કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને સરકારના કરૂણા અભિયાન અંતર્ગત ૧૩૦ થી વધુ પક્ષી ઘાયલ હોવાના કોલ મળ્યા હતા જેથી તેને બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તે પૈકીના ૮ પક્ષીઓને વધુ ઇજા થયેલ હોવાથી સારવારમાં તેના મોત નીપજ્યા હતા અને બાકીના પક્ષીઓને સારવાર આપીને સાજા કરવામાં આવ્યા હતા

મોરબીમાં  કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને સરકારના કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને મોરબીમાં કેપિટલ માર્કેટ (રવાપર ચોકડી), બાપાસિતારામ ચોક (રવાપર રોડ), પંચાસર રોડ હનુમાન મંદિર સામે, નેહરુગેટ ચોક અને મહારાણા પ્રતાપ સર્કલ મોરબી-૨ ખાતે પક્ષીઓની સારવાર માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા કેમ્પ કરવામાં આવ્યા હતા અને મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા ત્યારે પતંગની દોરી વાગવાથી ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા અને અંદાજીત ૧૩૦ થી વધુ ઘાયલ પક્ષીઓના કોલ બંને સંસ્થાને આવ્યા હતા અને તાત્કાલિક બચાવ ટીમે ત્યાં પહોચીને પક્ષીને બચાવવા માટેની કામગીરી કરી હતી જો કે, ૮ નિર્દોષ પક્ષીઓને સારવાર મળે તે પહેલા જ તેને મોત નિપજ્યાં હતા અને મોરબીના જે લોકો દ્વારા પક્ષી બચાવો અભિયાનમાં જોડાઈને તાત્કાલિક ઘાયલ પક્ષીની જાણ કરવામાં આવી હતી તેમનો સંસ્થા અને સરકાર વતી જવાબદાર લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો અને આવી જ રીતે સરકારી તંત્ર અને સંસ્થાને મોરબીના લોકો તરફથી સહકાર આપવામાં આવે તો અબોલ જીવની વધુ સારી રીતે સેવા કરી શકાય તેમ છે






Latest News