ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકા અનુ.જાતી ખેત સમુદાય મંડળીમાં ગેરકાયદે નામ ઉમેરનારાઓની સામે કડક પગલા લેવાની કલેક્ટરની ખાતરી


SHARE







માળીયા (મી) તાલુકા અનુ.જાતી ખેત સમુદાય મંડળીમાં ગેરકાયદે નામ ઉમેરનારાઓની સામે કડક પગલા લેવાની કલેક્ટરની ખાતરી

મોરબી જીલ્લામા આવેલ માળીયા મિૅંયાણા તાલુકા અનુ.જાતી ખેત સમુદાય મંડળીમા મંડળીના પ્રમુખ દ્વારા મંડળીના જુના સભ્યોના નામો રદ કરી નાંખી તાલુકા બહારના તેના મળતીયાઓના નામ દાખલ કરીને ગેરકાયદે જમીન ફાળવવામાં આવેલ હતી. જે બાબતે છેલ્લા ૩ વર્ષથી મંડળીના સભ્યો લડત ચલાવી રહયા હતા. છેલ્લા ૨૬ દિવસથી મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે ઉપવાશ આંદોલન ચલાવી રહયા હતા.

જેમા મોરબી જીલ્લાની મુલાકાતે આવેલ પ્રભારી સચિવ ડો.મનિષા ચંદ્રા દ્વારા કલેકટર જી.ટી.પંડયા, જીલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા, અધિક કલેકટર ખાચર, મામલતદાર મહેતા અને દલીત સમાજના આગેવાનો રાજેશભાઇ ચૌહાણ, મુળજીબાપા, કિશોરભાઇની હાજરીમાં શાંતીથી સાંભળવામાં આવ્યા હતા અને જવાબદારોની સામે કડક પગલા ભરવા અને મંડળીના સભ્યોને પુન: દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ડો.મનિષા ચંદ્રા દ્વારા ખાતરી આપવામાં આવતા કલેકટર પંડયાના હસ્તે ઉપવાસીઓના પારણા કરાવવામાં આવ્યા હતા.સાથોસાથ મોરબી જીલ્લા દલીત સમાજના વિવિધ પ્રશ્નનો બાબતે પણ પ્રભારી સચિવ સાથે ચર્ચા કરીને હકારાત્મક ઉકેલ લાવી દલીત સમાજના પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી.






Latest News