મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા આજે શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ, સંતવાણીનું આયોજન


SHARE













મોરબીમાં માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા આજે શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ, સંતવાણીનું આયોજન

મોરબી શહેરના માધાપર વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે તેની સાથોસાથ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ સંતવાણીનું આયોજન કરેલ છે જેનો લાભ લેવા માટે થઈને ધર્મપ્રેમી લોકોને માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે

આજે તા.૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આ ઘડીને યાદગાર બનાવવા માટે જુદી જુદી જગ્યાઓ પર કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ ૧૩૫ વર્ષ જૂના રામજી મંદિર ખાતે પણ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતુ તે અંગે આયોજકો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે તા. ૨૨ ના રોજ સવારે ૯:૩૦ કલાકે રામચંદ્રજી મહારાજની શોભાયાત્રા રામજી મંદિર ચોકથી પ્રસ્થાન કરશે અને ત્યારબાદ ૧૨:૦૦ વાગ્યે રામજી મંદિર ખાતે મહા આરતી અને ૧૨:૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જોકે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પૂર્વ સંધ્યાએ એટલે કે તા. ૨૧ ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે માધાપર વિસ્તારમાં સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા 






Latest News