મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇના પરિવારે સિદસર મંદિરે ધજા ચડાવી


SHARE











મોરબી અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇના પરિવારે સિદસર મંદિરે ધજા ચડાવી

ઉમિયા માતાજી મંદિર "સિદસર" ખાતે મોરબીના ઉદ્યોગપતિ અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો "પાટીદાર રત્ન" "પાટીદાર મહાપદ્મ" અને મહિલા સશક્તિકરણની મીશાલ એવા જયશુખભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતી મૃદુલાબેન દ્વારા ઉમિયા માતાજીની આરતી અને મંદિરે ધજા ચડાવવામાં આવી હતી

મોરબીના ઉદ્યોગપતિ અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયશુખભાઈ પટેલ હાજર રહેલ હતા સાથે સાથે ભાલોડીયા પરિવારના જેઠાભાઈ, વસંતભાઈ, રાધવજીભાઈ, રમેશભાઈ, અંબારામભાઈ સહિત સંપૂર્ણ ભાલોડીયા પરિવારે હાજરી આપેલ હતી અને કરસનભાઈ આદ્રોજા, દિનેશભાઈ મારડિયાએ ફેમિલી સહિતનાએ આ પ્રસંગમાં હાજરી આપેલ હતી. તેમજ માતાજી મંદિરના ટ્રસ્ટીઓ બાબુભાઈ ઘોડાસરા, જેરામભાઈ, જયેશભાઈ પટેલ, ચીમનભાઈ સાપરિયા સહિતના હાજર રહેલ હતા. તાજેતરમાં છેલ્લા બે વર્ષથી "સીદસર" ખાતે માતાજીના આ પવિત્ર સંસ્થાનમાં ૧૫થી ૨૦ કરોડ જેટલો ખર્ચ કરીને મંદિરની ભવ્યતામાં અલૌકિક વધારો કરવામાં આવેલ છે અને રિવરફ્રન્ટ, ગાર્ડન, શોપિંગ મોલ, પાર્કિંગ જેવા અદભુત ડેવલોપમેન્ટના કાર્યો કરવામાં આવેલ છે પાટીદાર રત્ન અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયશુખભાઈ પટેલ દ્વારા સમસ્ત કડવા પાટીદાર સમાજને હાર્દિક અપીલ કરવામાં આવેલ છે કે નવરાત્રિના શુભ પ્રસંગે અથવા અનુકૂળતાના સમયે "સિદસર" ખાતે જગજનની મા ઉમિયાના આશીર્વાદ લેવા દરેકે અવશ્ય આવવું જોઈએ 






Latest News