મોરબીના વનાળિયા ગામની વિદ્યાર્થીની પૈજા કાવ્યાની વાર્તા સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પસંદગી
મોરબીમાં સાધ્વી દેવાદેતીજીની હાજરીમાં સર્વ રોગ નિવારણ યોગ શિબિર યોજાઇ
SHARE
મોરબીમાં સાધ્વી દેવાદેતીજીની હાજરીમાં સર્વ રોગ નિવારણ યોગ શિબિર યોજાઇ
મોરબીમાં પતંજલિ યોગપીઠ હરિદ્વારથી પધારેલ સાધ્વી દેવાદેતીજી તથા ગુજરાત રાજ્ય મહિલા પ્રભારી તનુજા દીદીના સાનિધ્યમાં દ્વિદિવસીય સર્વ રોગ નિવારણ યોગ શિબિરમાં ઘર ઘર સુધી યોગ પહોંચાડવાના સંકલ્પ લેવામાં આવ્યો હતો મોરબી મહિલા યોગ સમિતિ દ્વારા આ યોગ શિબિરનું આયોજન ભારતીબેન રંગપરિયા તથા મીનાબેન માકડીયાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ શિબિરમાં રણછોડભાઈ જીવાણી (જિલ્લા પ્રભારી, ભારત સ્વાભિમાન), નરશીભાઈ અંદરપા(યોગગુરૂ), સંજયભાઈ રાજપરા, (યુવા પ્રભારી) ખુશાલભાઈ જગોદણા (સહ પ્રભારી) જીલેશભાઈ કાલરિયા (કિસાન પ્રભારી), વાલજીભાઈ ડાભી (કો.ઓડિનેટર, ગુજરાત યોગ બોર્ડ) રૂપલબેન શાહ (યોગ કોચ) તથા યોગ શિક્ષિકો હરજીવનભાઈ છત્રોલા, દેવજીભાઈ મિસ્ત્રી સહિતનાઓએ યોગ અગેનું માર્ગદર્શન આપ્યુ હતુ.