મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ, સબ જેલ તેમજ લાલપર ગામે ઉજવણી કરાઇ હતી


SHARE







મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ, સબ જેલ તેમજ લાલપર ગામે ઉજવણી કરાઇ હતી

મોરબીના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના સનાળા રોડ ખાતે તેમજ સબજેલ ખાતે અને લાલપર ગામે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ હિંદુ પરિષદ

૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી વિશ્વ હિંદુ પરિષદ અને તમામ આયામો દ્વારા કરવામાં આવી હતી.ત્યારે મોરબીના નવા બસ સ્ટેશન શોપીંગ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે સવારે ૯:૪૫ કલાકે ધ્વજવંદનનો કાર્યક્રમ મોરબીના નવા બસ સ્ટેશન પાસે કરવામાં આવ્યો હતો.જેમાં વિવિધ ક્ષેત્રના જવાબદાર વ્યક્તિ અને કાર્યક્રતા બંધુ તથા ભગિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી જેલ ખાતે 

મોરબી સબ જેલ ખાતે આજ પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ દ્વારા રાષ્ટ્રધ્વજને આકાશમાં લહેરાવવામાં આવ્યો હતો ત્યારે જેલ કર્મચારીઓ તેમજ પરિવારના સભ્યો અને તમામ બંદીવાનો ત્યાં હાજર રહ્યા હતા.ત્યારબાદ બંદિવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી કેરમચેસલીંબુ ચમચીલુડો જેવો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બંદીવાન ભાઈઓએ ભાગ લીધેલ હતો અને તેમાં વિજેતા બનેલા બંદીવાન ભાઈઓ-બહેનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા જેલર પી.એમ.ચાવડા તેમજ જેલ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

લાલપર તાલુકા શાળા

લાલપર તાલુકા શાળા ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે સરપંચ રમેશભાઈ વાંસદડીયાઉપ સરપંચ રાજુભાઇ જેતપરિયા તથા તમામ સભ્યો હાજર રહ્યા હતા.આ ઉપરાંત શાળાના રીનોવેશનમાં સહકાર આપતા દાતા નરભેરામભાઇ જેતપરિયાહરેશભાઈ વાંસદડીયા, શાળાના નિવૃત્ત શિક્ષક કુબાવતભાઈકરોલિયા જસમતભાઈ તેમજ લાલપર પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાંથી મેડિકલ ઓફિસર રાધિકાબેન અને સુપરવાઇઝર દિપકભાઈ વ્યાસ સહિતના હાજર રહ્યા હતા.ત્યારે બાળકોનો ઉત્સાહ વધારવા રોકડ ઈનામ આપવામાં આવ્યા હતા તેમજ દાતાઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય કૈલાશભાઈ સાવરીયા અને શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News