હળવદ-માળિયા તાલુકા કિશાન મોરચાની બેઠકમાં મહત્વના વિવિધ મુદાઓની ચર્ચા કરાઇ
માળિયા-વનાળિયા ગ્રામ પંચાયત ખાતે શાળાના નવનિર્મિત ભવનના ધારાસભ્યની હાજરીમાં ખાતમુહૂર્ત કરાયું
SHARE
માળિયા-વનાળિયા ગ્રામ પંચાયત ખાતે શાળાના નવનિર્મિત ભવનના ધારાસભ્યની હાજરીમાં ખાતમુહૂર્ત કરાયું
મોરબીના સામાકાંઠે આવેલ માળિયા-વનાળિયા ગ્રામ પંચાયત ખાતે શાળાના નવનિર્મિત ભવનના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુલશીભાઇ, જયોતિસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, સુરેશભાઇ સીરોહિયા, ગૌતમભાઈ સોલંકી, ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત પાર્ટીના વિવિધ હોદેદારો સહિત ગ્રામજનોની બહોળી હાજરીમાં હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, હાલના જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા અગાઉ આરોગ્ય સમિતિના ચેરમેન હતા ત્યારે આ શાળામાં અને ત્યાના જર્જરિત ઓરડા જોઈને જે તે સમયે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓને ત્યાં નવી શાળા બનાવવા માટે રજૂઆત કરી હતી જેને ધ્યાન લઈને હવે ત્યાં ૧.૧૨ કરોડના ખર્ચે ૧૦ ઓરડા સાથેનું શાળાનું બિલ્ડીંગ બનાવવામાં આવશે